________________
૧૨૬
ફલ કરી દીધું. રામને સીતા પર અનહદ સદૂભાવ વધી ગ; એટલે બધે કે સીતાજીને તે સંસાર ત્યજી દીક્ષા લેવી છે, પણ રામ આવા ઉચ્ચ નારીરત્નને વિયેગ સહવા તૈયાર નથી. સદ્દગુણે આકર્ષણ તે કરે છે, પરંતુ સમયેચિત વિશિષ્ટ શબ્દો આકર્ષણને ભારે વધારી દે છે.
આભટ એ રાજા કુમારપાળના એક મહાન મંત્રી એમણે રાજાની આજ્ઞાથી એક અનાડી દુશમનને જીતી એનું રાજ્ય અને ઘણી સંપત્તિ રાજાના કબજે લાવી મૂકેલી ત્યારે કુમારપાળે આદ્મભટ્ટને કેટલાય હાથી ઘડા અને લાખ રૂપિયાનું ઈનામ આપ્યું. એ લઈને આદ્મભટ્ટ ઘર પર જાય છે, પરંતુ વચમાં કેઈ યાચક દાન માગનાર મળ્યા બોલે; આમાંથી ધન છૂટે? છૂટે તે કેટલું છૂટે? આમ્રભટ્ટ ઘેર પહોંચતાં સુધીમાં બધું જ ઈનામ દાનમાં દઈ દે છે !! શી રીતે એટલું બધું હાથથી છૂટયું ?
મહાદાનનું એક કારણ સ્વભાવ, અમાપ સંગ્રહના સ્વભાવની જેમ અમાપ દાનનો સ્વભાવ :
આદ્મભટ્ટના હાથે એટલું બધું અઢળક ધન દાનમાં છૂટવાનું- (૧) પહેલું કારણ તો એમનામાં મહાન દાનસ્વભાવ હતે. આજે કેટલાયને પૈસા ભેગા કરવાને સ્વભાવ હોય છે ને? કેટલાયને સંઘરી રાખવાને સ્વભાવ હોય છે ને? તે કેટલું ભેગું કરે છે, ને કેટલું સંઘરી રાખે છે? કહે, એનું માપ નહિ. બસ એ જ રીતે દાનરુચિવાળા છોને દાન દેવાને જ સ્વભાવ એ હોય છે કે ત્યાં પછી છે એમાંથી કેટલું દેવું એનું માપ નથી હોતું.