________________
૨૦ શબ્દને ચમત્કારઃ મહાદાનને ઉપાય
માત્ર, પ્રસંગે ઉચિત બેલતાં આવડવું જોઈએ નહિતર વિવાહની વરસી થાય.
જીવનમાં આપણને અનેક પ્રસંગને લાભ મળે છે; પણ જે એવા પ્રસંગને વધાવી લઈ ઉચિત વિવેકભર્યો વેણ કાઢીએ તે સોના સવાસ થાય; ને એ ન આવડે તો સેના સાઠ થાય !
માણસના અવસરચિત બેલ પરથી એની ઊંચી કિંમત થાય છે. વચન અનુચિત કાઢે કે ઉચિત કાઢે,
એમાં કશો ખર્ચ લાગતું નથી કે શ્રમવિશેષ પડતું નથી. ” તે પછી જશ શું કામ ન લે? ઉચિત વિવેકભર્યા મુલાયમ વેણથી સામાના દિલ કેમ ન જીતવા?
કડવા બેલમાં કેવી ઘેલછા? જીવની આ ઘેલી માન્યતા છે કે “હું ચડભડિયા બોલ ન બેલું, તડાક ને ભડાક જેવાં વેણ ન સંભળાવી દઉં, તો નુકસાન થઈ જાય.” એમાં તો લક કહે છે જવા દે એ ભાઈની વાત એની તે મિજાસી પ્રકૃતિ ને કુહાડા જેવી જીભ છે, એક ઘા ને બે ટુકડા કરે એવી !' એવી જીભને શું લાભ? નુકશાન તે પુણ્ય હોય તે કશું થતું નથી. ઊલટું, કડવી યા અવિવેકી જીભથી સામાને નેહસદભાવ જીવનભર ગુમાવવાનું મોટું નુકસાન ઊભું થાય છે.
ચીજનાં નુકસાન કરતાં પ્રેમનાં નુકસાન મેટાં ચીજવસ્તુ એ કેઈ જીવનભરની બાબત નથી; ત્યારે