________________
એમની સેવા ગુમાવી. તે હવે પુછે –
પ્રવે-જ્ઞાનીની નજરમાં આપણું અગ્યતા નરસા પણું શી રીતે આવે ?
ઉ. આ જ રીતે કે આપણે એમનાં વચનથી આડા ચાલીએ, એમના સિદ્ધાન્ત–આદર્શ—દષ્ટિથી વિરુદ્ધ વતીએ, તે સ્વભાવિક છે કે આપણે એમના જ્ઞાનમાં અગ્ય દેખાઈએ, નરસા જણાઈએ. વીતરાગ સર્વજ્ઞની સેવા કરવી છે? એમના સાચા સેવક બન્યા રહેવું છે? તે આ જ લક્ષ રાખ્યા કરવું પડે કે એમની આજ્ઞાના વિરાધક યા ઉપેક્ષક ન બનીએ, એમની જીવનદકિટ-જીવનસિદ્ધાન્ત-જીવનઆદર્શથી વિરુદ્ધદષ્ટિ, વિરુદ્ધ સિદ્ધાન્ત, વિરુદ્ધ આદર્શ ધરનારા ન બનીએ.
પૂજા કરતાં આજ્ઞાપાલન મહત્ત્વનું –
જે જે હે, આમ એમની લાખ રૂપિયાથી પૂજા કરવી સહેલી છે, પણ આ એમનાં વચન-સિદ્ધાન્ત–દષ્ટિ–આદર્શ પાળવા કઠિન છે. આના વિના તે એકલી પેલી કિંમતી પૂજાની કશી કિંમત નથી. માટે તે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિજી મહારાજે કહ્યું કે
“વતરાજ ! સાતસ્તવજ્ઞાનં પૂરમ !'
“હે વીતરાગ ! તારી પૂજા કરતાં તારી આજ્ઞાનું પાલન વિશેષ મહત્ત્વનું છે. આનું કારણ પછી આગળ બતાવ્યું કે “આજ્ઞાની આરાધનાથી મોક્ષ થાય, ને વિરાધનાથી સંસાર થાય.” પૂજા તે શક્તિ ન હોય તે ન ય બને, એછી ય બને,