________________
૧૧૦
ષ કરતે હતું, પણ હવે તારે અનાદિ રાહ બદલી ભૂલેલા જીવ પર ઉદાર દિલ અને કરુણા રાખવી પડશે.”
આ રાખવા માટે આપણે આટલું વિચારવું જોઈએ કે -
જે ધર્મ તારણહાર માની મેં વધાવ્યા છે, સ્વીકાર્યો છે, તો મારે હવે અનાદિના મુદ્ર અને ક્રેષિલા દિલને પલટવું જોઈશે, નહિતર મેં ધર્મને સ્વીકારી એને શે ભાર માથે રાખે ?'
તાપસે રાજા-રાણીને ઉદાર દિલે શોધવા નીકળી પડ્યા છે, ત્યાં એક વૃદ્ધ તાપસને જંગલના ઊંડાણમાં હરિષેણ તાપસ જતા દેખાયા. તરત પાસે જઈ એમને કહે છે, “મહાનુભાવ! આ તમે શું કર્યું ? કેમ એકાએક ચાલી ગયા?” ત્યાં હરિ પેણ એ તાપસને વાત કરી કે “તપવનમાં તાપસપણે રહેવા આવતા પહેલાં રાણી ગર્ભવતી બનેલી, પરંતુ તપોવનના સંયમ-જીવનમાં આવવાના અંતરાયના ભયથી એ વાત એણે છૂપાવી રાખેલી, છતાં આ વસ્તુના અજાણ બીજાઓ હવે ગભ પ્રગટ થયે દેખી અહીં તપોવનના જીવન પર શંકા ખાય. એ શરમથી અમારે ગુપ્તવાસ લેવું પડે.”
વૃદ્ધ તાપસ કહે છે, “અહો ! એમાં તમારે શરમાવાનું શાનું હોય? તાપસ મેટા મનવાળા હોય છે એ કાંઈ તમને ગુનેગાર સમજે નહિ. માટે વિના સંકેચ ચાલે તપોવનમાં એમ બહુ આગ્રહ કરીને બંનેને એ તપવનમાં લઈ ગયે.
આ સંસારની અનિત્ય ઘટમાળ દેખો-કે ભલે હરિષણને આ એક આપદા ટળી, પણ હવે બીજી આપદામાં ફસાય છે.