________________
૧૦૮
પ્રભુ પ્રત્યે ભાવભકિત-બહુમાનના મનમાં તંરગ ચાલતા હોય ત્યાં, જાતની વહાઈ કે બીજાની હલકાઈના વિચાર મનને સ્પશે નહિ.
એવા વિચાર સ્ફરતાં જ પેલી વીતરાગ પ્રભુ પરની ભક્તિના ભાવ જીવને શીખવે કે “નાદાન ! આવા જાતવડાઈ અને પરહલકાઈના વિચારને રેગ શા પિષવા'તા? એવું કરતાં કરતાં તે જન્મારા અને જિંદગીઓ વહી ગઈ ! મનને નીરોગી નિર્મળ બનાવવું હોય, તો વીતરાગ પ્રભુની લડાઈના જ વિચારે સેવ.
“ગર્વિષ્ઠ થતી તારી જાતને એ અનંતગુણેના ધણ પ્રભુની સામે ઊભી તે રાખ, અને જોતો ખરો કે એમનામાં જે દયા, જે ક્ષમા, જે ત્યાગ, જે વૈરાગ્ય વગેરે ગુણ-સમૃદ્ધિ હતી, એમાંનું તારી પાસે શું છે તે જાતવડાઈ માને છે?”
“ત્યારે, બીજાનું હલકું, બીજાની ખામી, બીજાને દોષ, જોઈ જોઈ તારા કિંમતી મનમાં શી ઉજજવળતા, શી સ્વસ્થતા, અને શા પ્રકાશ પ્રગટે છે?
એની સામે પ્રભુના વિચાર કરે તો મન કેવું ઉજજવળ-સ્વસ્થ-શાંત અને પ્રકાશભર્યું બને ! માટે મેલ આ જાતવડાઈ અને પરહલકાઈ જેવાની લત.”
આમ, પ્રભુની ભાવભકિતને ખરેખર રંગ લાગે અને ભકિતભાવના જ વિચાર વારંવાર આવ્યા કરે, તો એ અનાદિના ગોઝારા જાલિમ કુવિચારેથી મુકિત મળે.
રાજા-રાણું ગુપ્ત સ્થળે રાજા હરિશેણને પત્નીની ગર્ભવતી સ્થિતિ પર એમ