________________
૧૦૭
જિનેશ્વર ભગવંતની ભાવથી ભક્તિ કર્યા વિના આ સ્વપ્રશંસાને રેગ તથા પરનિંદાને રોગ મટે નહિ, અને મોક્ષ થાય નહિ.
પ્રભુની ભાવભકિતનો પ્રભાવ :
પ્રભુની ભક્તિ વિના કે ખાલી દ્રવ્યભકિતથી પેલા વિચારના રોગ મટે નહિ. રોગ મટાડનાર છે પ્રભુની ભાવભકિત
વીતરાગ અરિહંત પ્રભુની ભકિત કરવાને તે અમુક સજા મળે, પરંતુ એમાં હૃદય માત્ર શુદ્ધ ભકિતના હાથી ભર્યું ભર્યું હોય, અને બીજી કશી નાશવંત પદાર્થોની. લાલસા-આશંસા ન હોય, તો પછી એના સંસ્કાર અને
નો રસ બીજા સમયમાં પણ દિલમાં શુદ્ધ ભકિતના ભાવ જાગતા રાખે. મનને એમ થાય –
| હે ! આ પ્રપંચ કે લાહુલ અને વિટંબણાભરી દુનિયામાં ભગવાન શ્રીતીર્થંકરદેવ વિના કેણ શાંતિ-સ્વસ્થતાપ્રકુલિતતા આપનાર છે? બીજું કશું પવિત્રતા. કુતિ અને ઓજસ આપી શકે એમ છે? ખરેખર વીતરાગ પરમા-મા જ એક આધાર છે, અનન્ય ઉપકારી છે. અનન્ય ગુણભંડાર હાઈએ જ એક ઉપાદેય, ઉપાસનીય ને આરાધ્ય છે. યેય અને સ્મરણીય છે. એ પ્રભુના કેવા ઉચ્ચ આદર્શ ! કેવું એમનું ઉચ્ચ જીવન ! કેવાં એમના ઉચ્ચ સિદ્ધાન્તો ! પ્રભુની કેવી ઊંચી આત્મપરિણતિ ! ઊંચી આત્મલગન ! અને પરમ આત્મનિષ્ઠતા !”
--આમ મનને વારે વારે ધયા કરે, એટલે દિલમાં એ પ્રભુ પ્રત્યે પ્રીતિ–ભકિત–બહુમાનના ભાવ ઊછળ્યા કરે.