________________
૧૦૬
કમ ઊભા થઈ ગયાં તે હવે અહીં નડે છે.
“તે ફિકર નહિ, હવે અહીં બીજાની હલકાઈના વિચાર પડતા મૂકી એ ઉમદા વિચારની મનમાં સળંગ સીરિયલ (પરંપરા) ચાલુ રાખ્યું. જિનની ભકિત અને જિનાજ્ઞાનું પાલન પૂર્વે ઓછા કરેલાં, તેથી અહીં વિટંબણા–વસવસો ઉભા થાય છે, માટે હવે એ જિનભક્તિને વધારું, જિનાજ્ઞાપાલન વધારું.”
વર્તમાન વાતાવરણ :
વિષય: રાજસ્થાની પાછળ આ ઉપાય. તેવા, અને આપણા માટે હલકું માનનાર પ્રત્યે જરાય ઢેબ ન કરાય. જીવનમાં તપાસ કે “એક તે પૂર્વનાં તેવા અશુભ કર્મ આપણે ડગવીએ છીએ, છતાં વર્તમાનમાં બીજાનું હલકું આપણે નથી વિચારતા ને? બીજા પર આપણે ઢેર નથી કરતા ને?” આ મુશ્કેલ છે હૈ, આજે આપણી આજુબવાતાવરણ લગભગ એવું છે. કવિ કહે છેકરત પ્રશંસા સબ મિલ અપની, પરાનિંદા અધિકેરી,
કયું કર ભકિત કરું પ્રભુ! તેરી” આવા વાતાવરણની વચમાં રહીને બચવાનું છે. વાતાવરણ છેડીને ભાગી જવાય એવું નથી. કયાં ભાગી જઈએ ? જગતની વચ્ચે રહીને જ મોક્ષમાર્ગ સાધવાનો છે, ને જગત વિચિત્ર છે, તે એથી બચવા ક્યાં બહાર જઈ શકાય એ તે બચવું કેમ એનો જ ઉપાય લેવાને. એ માટે માન વિજ્યજી કવિ આ જ કહે છે –
કહત માન જિન-ભાવ-ભગતિ બિન, શિવ ગત હેત ન મેરી, કયંકર ભક્તિ કરું પ્રભુ ! તેરી ”