________________
૧૧૪ ચરિત્ર ! અહો! સુખદ સંગમાં પણ કે જવલન્ત વૈરાગ્ય? હૈ પ્રભુ! તે પછી અમને કેમ વૈરાગ્ય નહિ થતું હોય ?
મહાન તાપસ કહે છે, “મહાનુભાવ ! આ તમને વૈરાગ્યનું ચરિત્ર સાંભળવું ગમ્યું, એના પર તમે એવારી ગયા એ તમારી પણ વૈરાગ્યદશા સૂચવે છે. વૈરાગ્યના પ્રસંગ સાંભળતાં કયાંય તમને અજુગતું લાગ્યું ખરું કે આવું કેમ મનાય? કેમ કરાય ? ના, ઉલટું મન થયું, આતડાદ થયો ! એ સૂચવે છે કે તમને પણ સંસારના સંગો રાગ-મમતા–આકર્ષણ કરવા જેવા લાગતા નથી. બસ, એ જ તમારી વૈરાગ્યદશા સૂચવે છે.” અંતરમાં વૈરાગ્યદશાવિના વૈરાગ્યની વાત ગમે નહિ
કુમાર કહે - તે પ્રભુ! અમારાથી કેમ આવા દુઃખદ સંસાર-સંગો છૂટતા નથી ? ”
તાપસ કહે છે, “એ માટે વિશિષ્ટ વીલ્લાસ જોઈએ છે. વૈરાગ્ય ટકાવી રાખવાથી એક દિવસ એ જરૂર પ્રગટ થશે એવી શ્રદ્ધા રાખવી જરૂરી છે. સાથે વૈરાગ્યવાળા ત્યાગી પવિત્ર પુરુષના સમાગમ સાધતા રહેવું. એથી ત્યાગનું જરૂરી આંતરિક બળ-વીર્ય–સત્વ વધતું રહેશે.”
સવ વિના સ્વેચ્છાએ વિષયત્યાગ નહિ –
જુઓ ખૂબી ! આટલી બધી વાતચીતમાં રૂપવતી કન્યા ઋષિદત્તા ત્યાં ઊભી છે. છતાં રાજકુમાર કનકનું મન એનાં પર જતું જ નથી. જે મનમાં ય એ નહિ, તે પછી એનાં દર્શનની કે એના અંગેની કશી આગળ વાત-ચીતની વાતે ય શી? કુમારની આ સાત્વિક પ્રકૃતિ સૂચવે છે. સામે