________________
૯પ
શકાય ? વર્તમાન ક્ષણે એ કાળ પંજે નથી પડે એને શું એ અર્થ છે કે એ બીજી ક્ષણે નહિ પડે ? આવા માથે લટકતી તલવાર જેવા જીવનમાં ત્યાગમાર્ગને તે વહેલામાં વહેલી તકે વધાવી લેવું હિતાવહ છે. આગળ મરીને ય ત્યાગ જ કરવો પડે છે, તે જીવન જ ત્યાગમય કાન બનાવવું?
ભગવતી ! તમારા એ પ્રસંગથી તો મારા મનને સચોટ લાગી ગયું છે કે | મારા પર આવો કોઈ કાળ પંજે નથી પડે અને હું જીવતો રહ્યો છું તે શા માટે ? ક્ષણ વિનાશી ભેગસુખમાં અજ્ઞાન પશુની જેમ મહાલવા માટે ? કે અવિનાશી ત્યાગ અને મોક્ષની સમૃદ્ધિ સાધી લેવા માટે ?
ભૂલશે નહિ, મળેલા બાહ્ય સંગો નાશવંત છે, અર્થાત્ જીવન નાશવંત છે, કાયાની શક્તિ સૌંદર્ય બધું જ નાશવંત છે. આત્મા અવિનાશી છે; એ અવિનાશીનાં હિત આ નાશવંત જીવન અને કાયામાંથી કાઢી લેવા એમાં જ બુદ્ધિમત્તા છે. બાકી નાશવંતની પાછળ અવિનાશીને ખુવાર થઈ જવા દે એ તે અજ્ઞાન નાના કીડા-મંકડા પણ કરે છે.”
રાજાની ચેટ અંગે અને જીવન તથા કાયાની નાશવંતતા પર છે. આ બધું ય નાશવંત; તેથી હવે એ નાશવંતતા નજર સામે તરવરતી થઈ ગયા પછી જીવન અને કાયામાંથી સાર ખેંચી લેવા સજજ થઈ ગયું છે.
હરિણુ રાણીને જગાડે છે -
હરિષેણ રાજાને આ ભાન છે કે દુન્યવી પદાર્થો પરિવાર અને વિષયે અનિત્ય છે, વિયેગ પામનારા છે, પછી મન