________________
૯૩
નથી, વિચારતું નથી. નહિતર સંસારના સુખ ભલે ને મીઠા લાગી ગમતા હોય, છતાં જીવન જીવતાં આવતા કષ્ટો, પાપા, વસ્તુ-વસ્તુની પરાધીનતા, ધારણા બહાર ઇષ્ટ વિયેાગ–અનિષ્ટ સયેાગ, અને અંતે મેાત,....વગેરે ખાખતા એવી છે કે સંસાર પરથી આસ્થા ઉઠાડી મૂકે, અંદરખાને એના પર અરુચિ નફરત મુઝવણ થાય. આનું જ નામ વૈરાગ્ય.
એટલે વરાગ્યભાવ તે આવી જાય, પરંતુ હવે એવા સંસારને એકદમ ત્યાગ કરી દેવા એ એટલું સહેલુ કામ નથી. એ માટે તે વિશિષ્ટ વીચેટલ્લાસ જોઇએ. સુખ– સગવડમાં પેાતાની ગાળયા જેવી સ્થિતિ ફગાવી દઈ, કષ્ટપ્રતિકૂળતાભરી ત્યાગી જીવનની ચર્યાએ આદરવાનુ સત્ત્વ જોઈ એ. એ કાંઇ વૈરાગ્ય જાગતાંની સાથે ઊભું થઇ જ જાય એવા નિયમ નથી. બહુ સુખશીલિયાને ય સંસારનું નગુણું સ્વરૂપ જોઈ અંતરમાં એના પ્રત્યે નફરત તે છૂટે, પણ એના ત્યાગની હાંશ ન હેાય, એવું અને. એ તે વૈરાગ્યભાવ જાગ્યા પછી મને મંથન ચાલ્યા કરે, ચાલ્યા કરે, અને અંતરમાં જોમ વિકસાવતાં વિકસાવતાં એક દિવસ એવે આવી જાય કે સંસારને ફગાવી ઊઠીને ચાલતા થઈ જાય.
રાજા હરિષણની પહેલાં વૈરાગ્યની સ્થિતિ ઊભી થયેલ, પરંતુ ત્યાગનું જેમ નહિ. એટલે વૈરાગ્યભર્યા દિલથી સંસાર નભાવ્યે જતા હતા. એમાં હવે વૈરાગ્ય વધી ગયેા, જામ વિસ્વર થઇ ઊઠયું, પુત્ર ધાર હજી ખાળ અવસ્થામાં છે, કિન્તુ વૈરાગ્ય અને ત્યાગને વીચલ્લાસ