________________
૯૮
છેવટે મત્રીઓને વાત માનવી પડી, ખાળ રાજ– કુમારના રાજ્યાભિષેક કરવામાં આવ્યા, મંત્રીઓએ રાજ્ય કારભારનાં સુકાન સંભાળી લીધાં, અને રિષણ તથા રાણી પ્રીતિમતી રાજ્યના ત્યાગ કરીને તપાવનમાં ચાલી નીકળ્યા.
૧૬ રાજા રાણી તપાવન પ્રતિ
રાજા–રાણી ત્યાગ કરી તાપસને ચેાગ્ય વેશ સર્જીને જ્યારે મહેલમાંથી ચાલી નીકળે છે એ વખતનું દૃશ્ય ! ખૂબ જ કરુણુ હતું. આખી પ્રજા આવા સારા રાજાને ગુમાવવા પર ધ્રુસકે રાતી હતી. રાજા-રાણીને વળાવવા ગયેલા હજારો નર-નારીઓમાંના એકની પણ આંખ કરી નથી. દરેક આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે, માં ઉદાસ છે, ને વાણી આવા પ્રખર ત્યાગની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી રહી છે. દરેક જણ પોતાની ભાગલબ્ધ ક ગાળ દશા તેા સમજે ને? પછી ત્યાં આવા રાજશાહી વૈભવવિલાસ ઠુકરાવી તાપસવેશે તપેાવનમાં ચાલી નીકળતા રાજા-રાણીની સાત્ત્વિક દશા પર કેમ એવારી ન જાય ? કેમ એની પ્રશંસા કર્યા વિના રહે
અનિત્ય વિષયો અને સ્વજના જીવને કયારે એકાએક છેડી દે! એ પહેલાં તે જ એના ત્યાગ કરી દેવા એમાં બુદ્ધિમત્તા છે ને પુરુષાર્થ શક્તિના સદુપયોગ છે.
નહિતર બુદ્ધિ અને શક્તિ બંને ય વેડફાઈ જાય.’ એ સત્યને સમજનાર રાજા અને રાણી પેલા વિશ્વભૂતિ