________________
૮૯
કારીગર બાપના વચન પર પૂર્ણ આદરે પુત્ર આગળ વધે.
જુએ નિષ્ણાત કારીગર બાપના દીકરા જે ખાપની આજ્ઞાને સંપૂર્ણ માથે ધરનારા હાય, પછી બાપ એને કારીગરી શિખવાડે એમાં દીકરાને એકદમ જ બધું નહિ આવડે, કારીગરીને એ અભ્યાસ કરશે એમાં ભૂલે। ત્રુટિ વગેરે આવવાની, ને બાપ એ એને બતાવ્યે જવાના. ત્યાં દીકરાને જો બાપના વચન પર સંપૂર્ણ આદર હશે, તે એ પેાતાની ભુલ ખામી સમજવાને; અને એના પર એને અક્સાસ થવાની; ને એ અસાસીથી આગળ વધુ મહેનત કરવાને. એમ કરતાં કરતાં એ ઠેઠ પરાકાષ્ઠાએ પહોંચી કારીગરીમાં સંપૂર્ણ નિષ્ણાત બનવાના.
પરંતુ આ આગળ વધવાનું ત્યાં સુધી જ કે એ ખાપનાં વચન પર સ`પૂર્ણ આદરવાળા બન્યા રહેશે. જે ઘડી વચન પર આદર સહેજ પણ ગુમાવ્યે તે ઘડી બાપે બતાવેલી ભૂલ સહન નિહ કરી શકે, અર્થાત્ એ ભૂલને ભૂલરૂપે નહિ માને, એટલે પછી પોતે અને સુધારવા તરફ લક્ષ જ નહિ ઢે. ત્યાં શી રીતે હવે આગળ વધે ?
જયારે વ્યવહારમાં આવું છે કે વડિલના વચન પર સ’પૂર્ણ આદર હોય, તે જ એમણે ભૂલ બતાવ્યાથી પેાતાની ખામી દેખાય છે, એના પર પેાતાને અસાસ થાય છે, અને એને સુધારીને આગળ વધવાનુ કરાય છે. તે પછી સમજી રાખેા કે આત્માનું સુધારવા માટે પણ આ જ રસ્તા હોય કે જ્ઞાનીનાં સ` વચન પર સંપૂર્ણ આદર હેાય, તે પ્રવૃત્તિમાં એ વચને