________________
૪૫
વિચારતા જવાય, તે એથી પણ મન સુશિક્ષિત થતું જાય. મુખ્યતાએ આમાં કમ અને રસ ભૂલવાના નહિ, તે જ મન પર સારા સંસ્કાર પડે, મન સંસ્કારી બંને, ઘડાય, સુશિક્ષિત થાય. પછી એ મનને નવકારવાળીમાં રેકે કે સ્વાધ્યાયમાં યા વ્યાખ્યાન શ્રવણમાં પણ કામ અને રસથી રેકે, ત્યાં એ આડાઅવળા વિકલ્પમાં નહિ દેડે. વાત આ કે મનને શિક્ષિત કરે, તત્ત્વથી કેળવે.
ઘણાઓની આ ફરિયાદ છે કે સાધનામાં અમારું મન કેમ સ્થિર રહેતું નથી ? પણ શી રીતે વણકેળવ્યું અશિક્ષિત એ સ્થિર રહે? એને કેળવ્યું હોય તે સ્થિર રહે ને? કેળવવાનું આ કે મનને તમાં-ચરિત્રોમાં ભાવનાઓમાં રસભર્યું બનાવીને અને કમસર ચલાવ્યા કરે. અરે ! આ કાંઈ ન આવડે તો ય જીવનમાં જે થૈ જિનમંદિરે સ્પેશ્ય હોય, એને ય કમસર અને રસભરી રીતે યાદ કરતા ચાલે, એમાંય સાથે એકેક ભગવાનને ધ્યાનમાં લાવી માનસિક વંદના—ખમાસમણું દેતા જાઓ અને આગળ વધે, યા ચોવીસ ભગવાનને કે સુધર્મા ગણધરથી માંડીને પાટપરંપરાએ થયેલ આચાર્ય મહારાજાને કમસર તથા રસભરી રીતે યાદ કરતા ચાલે અને માનસિક વંદના-ખમાસમણ દેતા ચાલે, આવું વારંવાર કરે, તો પણ મન સ્થિરતામાં સુશિક્ષિત થતું જાય મૂળ વાત આ છે કે મનને એવા રસભર્યા અને કમબદ્ધ પદાથ ચિંતનમાં લગાડયે રાખવાની જરૂર છે. તે એ સ્થિરતાને અભ્યાસ પામે. એમાં કેળવાયેલું શિક્ષિત બનતું જાય.