________________
-
સ્થાપના અને નવા
૯. સમ્યગ્દર્શન અને સમાધિ સમ્યગ્દર્શન શી રીતે આવે એ સમજો છો ને? ભગવાન જિનેશ્વરદેવ ઉપર અથાગ અનન્ય રાગે, અને એમણે કહેલાં જીવ–અછવાદિ તત્તવ તથા મેક્ષમાર્ગ પર સંપૂર્ણ શ્રદ્ધાએ સમ્યગ્દર્શન આવે. આ જીવનમાં આ સમ્યગ્દર્શનાનો ખૂબ અભ્યાસ કેળવવાથી ચિરની સુંદર સમાધિ–સ્વસ્થતા જાળવી શકાય અને એ સમ્યગ્દર્શન તથા સમાધિના અભ્યાસે એવા સુસંસ્કારને જ ઊભું થાય કે પરલોકમાં એના બળ પર એ બંને સુલભ બને.
સમ્યગ્દશનની તાકાત મામુલી સમજતા નહિ. સમ્યગ્દર્શનની એટલી બધી જમ્બર તાકાત છે કે કે મોટી સંપત્તિના ઢગલા મળ્યાં હોય તે ય ચિત્તને એ અડે નહિ, ચિત્તને મહેકાવે નહિ, ઉન્માદી ન થવા દે, તેમ પૂર્વના અશુભના ઉદયે આપત્તિઓ ઘેરી વળી હોય, છતાં ચિત્ત સમતોલ રહે, સાવધાન રહે, દીન-દુખિયારું ન બને;
આ તાકાત સમ્યગ્દર્શનની છે; વીતરાગ પ્રભુ પરના અથાગ રાગની અને જિનેક્ત જીવ–અજીવ–આશ્રવ–સંવર વગેરે તત્ત્વ પરની અથાગ શ્રદ્ધાની આ તાકાત છે.
ભરત ચકવતી પાસે છ ખંડનું એશ્વર્ય, ચૌદ રતન અને નવ નિધાન, આ સંપત્તિના ઢગલા હતા. છતાં ભરતજી મનહી મેં વૈરાગી; ચિત્તને રાગની અસમાધિમાં એ ડુખ્યું રાખનારા નહિ, પૂર્વ ભવે ચારિત્રધર્મના સુંદર પાલન દ્વારા મહાન સમ્યગ્દર્શન અને સમાધિની સાધના