________________
પ૭
જીના મનમાં આ દુષ્કૃત્યના ખેદનું તાંડવ ચાલ્યું. “હાય ! આ મારી કેવી ગફલત ? પ્રભુના સહવાસના અંધ રાગમાં પ્રભુની સંયમને સમય ઓળખવાની આજ્ઞા જ ભૂલી? પ્રભુ ફરમાવે છે કે સંયમના પેગોને યથાસમય બરાબર આરાધે બરાબર આરાધો એટલે એક સંયમપેગ બીજા સંયમયોગને બાધક ન બને એ રીતે આરાધે. અર્થાત્ એક યોગમાં એવે સમય ન ખરચાય કે બીજા ને સમય ઘવાય. કાલે કાલ સમાયરે, તે તે કાળે તેને તેને મેગ્ય આચારનું પાલન કરવું. આ શાસ્ત્રાજ્ઞા છે. પ્રભુની આજ્ઞાના પાલનમાં જ પ્રભુની સાચી ઉપાસના છે,
ત્યારે મનમાની ઉપાસનાએ મને કેવી ભૂલાવી? અંધારું થતા પહેલાં સમયસર મુકામે આવી જવું આ જિનાજ્ઞાને હું ભૂલી, અહો ! આ મારું કેવું દુષ્કૃત્ય! મારો કે ખોટો મોડ! એની પાછળ કેવા મારા પૂર્વભવના રાગાદિ ! અને કેવી અહીંની આપમતિ અને જાતનું અભિમાન !..”
બસ, દુકૃત્યોના સંતાપને અને દુષ્કૃત્યોના મૂળમાં કામ કરતા આપમતિ, સ્વાભિમાન, તથા રાગના પશ્ચાત્તાપનો દાવાનળ સળગે ! એ દાવાનળે સમસ્ત રાગ આસતિ વગેરે દોષને સળગાવી મૂક્યા. દુષ્કૃત્યોને ખેદ-પશ્ચાતાપ–દુઃખ એ સમાધિ ? કે અસમાધિ? અસમાધિ રાગાદિને બાળી ન મૂકે; એ તે રાગાદિને મજબૂત કરે. ત્યારે અહીં તે રાગાદિને બાળી મૂકયા. એ બાળી ભસ્મીભૂત કરનારા દુષ્કૃત્યપશ્ચાત્તાપ તથા કલ્પતને અસમાધિ ન કહેવાય. એ તે ભારે સમાધિ