________________
૭૫
લઈએ તે એ માટેના પ્રયત્નમાં શી ખામી રહે ? જીવન લઈને બેઠા એટલે જીવન નિભાવવા માટે ખાનપાનાદિ જરૂરી ઘણું ય કરતા રહીએ છતાં એ કશું જે મુખ્ય કર્તવ્ય ન લાગે એવું મુખ્ય કર્તવ્ય આ મેહની લાગણીઓથી બચતા રહેવાનું લાગે.
કુમારને ઝેર ઉતાર્યા પછી –
હરિપેણ રાજાએ પ્રિયદર્શન રાજાની પુત્રી પ્રીતિમતીને કરડેલા સાપનું ઝેર ઉતારી નાખતાં પછી શું થયું ? કુમારી ક્ષેમકુશળ બેઠી થઈ એટલે એના માતાપિતા વગેરેને પારાવાર આનંદ થયે. રાજા પ્રિયદર્શનને લાગ્યું કે હરિષણ રાજાએ આ જબરદસ્ત ઉપકાર કર્યો, તે મારે હવે એને બદલે વાળવા શું કરવું ?”
અજ્ઞાન મૂઢ કરતાં સુજ્ઞા માણસની આ વિશેષતા કે ઉપકારીના ઉપકારને લેનાર સુજ્ઞ માણસને એ ઉપકારનો ભાર માથે ચડયો લાગે છે,
નઘરોળને જ એ કશે ભાર ચડયાનું ન લાગે, તેથી એને એને કિંચિત્ પણ બદલે વાળવાની વૃત્તિ જ નથી થતી. વિચારવા જેવું છે કે દેવ-ગુરુ-ધર્મને આ ઉચ્ચ માનવભવ વગેરે આપવાના ઉપકારને બદલે વાળવા કેટલી તમન્ના? સુજ્ઞ છે કે અજ્ઞ?
માતાપિતાને મહાન ઉપકાર ભૂલવાનું આજના જે છોકરીઓમાં દેખાય છે, એ કઈ કક્ષાના માનવી ગણાય ? થોડા દિવસ રોજ રોટલાનો ટૂકડે પામનાર કૂતરાની જાત પણ એ ઉપકારને ભૂલતી નથી, ને તેથી એ ટૂકડો દેનારના ઘરની