________________
ભેગા ભળી ઉદય પામે, તેથી એનું પિતાનું ફળ દેખાડયા વિના માત્ર એનાં દળિયાં પ્રદેશ ઉદય પામે. આને પ્રદેશદય કહેવાય. ત્યારે ફળ દેખાડે એ વિપાકોદય કહેવાય. બંને પ્રકારના ઉદયમાં પછીથી કર્મ ખપી જાય, અર્થાત્ આત્માની સાથેના સંબંધથી અલગ થઈ જાય. વાત આ, કે ઘણાં એવાં મેહનીય કર્મ છે કે જેને નિમિત્ત આપે તે જ વિપાકેદયમાં આવી એનું ફળ દેખાડે. માટે નિમિત્તથી આઘા રહેતાં ઘણે બચાવ મળે.
આ પરથી સમજાશે કે જે એવાં નિમિત્તે ન સેવીએ એનાથી દૂર રહીએ, તો કેટલાંય મેહનીય કર્મના વિપાકેદયથી બચીએ અર્થાત્ તેવી તેવી મેહની લાગણીઓથી બચી જઈએ.
પશુ કરતાં માનવને અવતાર પામ્યાની આ વિશેષતા છે કે,
(૧) આપણને “હર્ષ–ખેદ કામ-ક્રોધ વગેરે એ મેન્ડની લાગણીઓ છે” એની ખબર પડે છે,
(૨) એને જન્માવનાર નિમિત્તોની સમજ પડે છે.
(૩) એ નિમિત્તોથી દૂર રહી, એ લાગણીઓથી બચી શકાય છે.
(૫) અને એમ અનેક પ્રસંગમાં બચવાથી એના સંસ્કાર દઢ ન કરવાનું, તેમજ શુભ ભાવનાથી જૂના સંસ્કારોને નષ્ટ કરતા જવાનું કરી શકીએ છીએ. તેમજ
(૬) એ રીતે અશુભ કર્મબંધનથી ય બચી શકીએ છીએ. માનવભવની આ મહાન વિશેષતાઓને ધ્યાન પર