________________
૩૫
ઋષિ ત્યાં કુમારને પૂછે છે,–“નરરત્ન ! તું કોણ છે? અને અહીં કયાંથી ?
રાજકુમાર પોતે પિતાનું શું ગાય? પણ એની સાથેન ભાટ-ચારણ કુમારને સુંદર પરિચય આપે છે, ને અહીં સુધી આવવાનું પ્રજન કહે છે કે “કુમાર રાજકન્યા રુકિમણીને કન્યાના બાપના આગ્રહથી પરણવા જઈ રહ્યા છે.”
એટલામાં ઋષિની લટતી જટાના આંતરામાંથી પાછળ ઊભેલી પેલી કન્યા કુમારની નજરે ચડી. કુમાર ઋષિને પૂછે છે, “આપ તે એક વયેવૃદ્ધ મહર્ષિ દેખાઓ છે, તે અહીં આ કન્યા શી? આપ કોણ છે ?
જેવાની ખૂબી છે,-રાજકુમાર પ્રભુની સ્તવનામાં કે લીન હશે કે ત્યાં આવેલી કન્યાને અત્યાર સુધી જઈનહિ, તે હમણાં જ જેઈ ! વળી જોયા પછી એના દિલમાં વિકારવાસના-આકર્ષણ નથી જાગ્યા, પણ આશ્ચર્ય થયું છે કે વનવાસી કષિ પાસે કન્યા શી?”
મને જ ઉમાદ અને અસત્ પ્રવૃત્તિનું કારણુ
કુમાર યુવાવસ્થામાં આવેલ છે, યુવાની દિવાની, અને એમાં આવી કન્યાનાં દર્શનનું એ નિમિત્ત મળી જાય પછી વાસના-વિકારનાં તોફાન જાગ્યા વિના રહે? છતાં કુમારને એ નથી જાગતાં ત્યારે એને મન પર અંકુશ કેટલે હશે? આંખ પર સંયમન કેવુંક હશે? મૂળ, મન જ ઉન્માદ અને અસતુપ્રવૃત્તિ તથા કલુષિત ભાવનાનું કારણ છે. “શાંતસુધારસ શાસ્ત્રમાં કહ્યું છે કે એવા મનને પવિત્ર શાસ્ત્રના ચિંતનથી સંસ્કારિત અને અતિશયવાળું