________________
2. પિત.
કાયા–માયાની આસક્તિ છેડી, તે તે એ મારે પણ છેડવા જ જેવી.” આ સમજ એ બધિરત્ન.
પરંતુ જે જે હો, પ્રભુ વીતરાગ બન્યા છે, એ પૂર્વે વીતરાગ બનવાની દિશામાં હતા તે એમનું આવું બધું કઠોર સાધનામય જીવન બનેલું હતું. એવું વીતરાગનું જીવન આપણી નજર સામે આવે એટલે આપણને એ સાધનાઓની ભારોભાર અનુમોદના થાય, “હે ? ભગવાન જેવા પણ આ સાધનાઓ કરે છે ? ત્યારે એ સાધનામાર્ગ કેટલો બધે કલ્યાણકર ! અને કેવો મારા જેવાને માટે તે ખાસ કર્તવ્ય.” આમ, મેક્ષ માર્ગ પ્રત્યે રુચિ-આકર્ષણ-શ્રદ્ધા જાગે. ત્યાં બોધિરત્ન અર્થાત્ સમ્યગ્દર્શન સુલભ થાય. તે કહે, કેણ પમાડે એ ? વીતરાગ પ્રભુનાં ચરણની સેવા કેઈ સરાગીની સેવા એ પમાડી શકે નહિ. વીતરાગમાં જ મન લગાડયાથી સાચી માર્ગ સમજ આવે, બોધિરત્ન આવે. એટલે જ જયવિમળ કવિએ ગાયું ને કે હે વીતરાગ પ્રભુ સંભવનાથસ્વામી ! તારા વિના મને જોરદાર બધિરત્ન કોણ આપનાર છે? માટે હું વિનવું છું કે મને તમારા ચરણકમળની સેવા આપજે. હે દેવાધિદેવ ! આ મારી અરજી સુણે,”
વાત એ હતી કે આવા પરમાત્માનું આલંબન મળવા છતાં એ જ મોહની રમત? ઉત્તમ મનુષ્યભવે એ આલંબને તે જગતના વિષય પર મીઠી દૃષ્ટિ ઉઠાવી લેવા જેવી હતી; પરંતુ મૂઢ જીવ મોહની ગુલામીમાં પડી પરસ્ત્રીદર્શન જેવા કેટલાંય અવિવેકી કૂ કામ કરે છે! રાજકુમાર કનકરથ રાજશાહી