________________
૩૧ કુમારની અતિશયવાળી બુદ્ધિ પ્રભુદર્શને આ પણ મનાવી રહી છે કે “આ પ્રભુદર્શન વગેરે સુકૃત સાધવામાં મારી પોતાની ગુજાયશ-વડાઈ હોશિયારી નથી, કિન્તુ એમાંય પ્રભુને જ ઉપકાર સિદ્ધ છે. પ્રભુનાં ઉત્તમ આલંબને જ કરાતાં આ દર્શનાદિ સુકૃતેની કિંમત છે. બાકી તો દર્શન વગેરેના પુરુષાર્થ અને હોશિયારી તે ગમે તેટલા કરાય, પરંતુ જે એ વીતરાગ પ્રભુને બદલે જેમાં તેનાં દર્શનાદિ કરાય તે એનું કશું મહત્વ નહિ, ફળમાં હિંગડા એ કાંઈ એવા ઊંચા ફળ ન અપાવે. એ તો ભગવાન અરિહંત પરમાત્માનાં જ દર્શન–વંદન આદિ કરાય તે જ ઊંચા ફળ આવે; એ દર્શનાદિ સારી સફળતાને પામે. માટે,
દશનાદિપ્રવૃત્તિમાં પ્રભાવ પુરુષાથ–કરનારા જીવ કરતાં દશનાદિનાં આલંબનરૂપ પ્રભુને માટે; ને તે ય અતિ ભારી પ્રભાવ
પ્રભુદશનમાં પ્રભુનો ઉપકાર સાતિશય બુદ્ધિએ સમજાય -
આવું બધું સામાન્ય બુદ્ધિએ ન સમજાય, હૈયે ન ઠસે. બુદ્ધિ વિશેષતાવાળી થાય ત્યારે જ
(૧) દેવદર્શનાદિ સાધનામાં મૂળભૂત સાચે ઉપકાર મુખ્ય ઉપકાર પ્રભુને છે એ સમજાય; તેમાં
(૨) પુણ્ય મળેલ તન-મન-ધન–ઈદ્રિ-ગાત્રોની સફળતા જિનભક્તિ કરવામાં લાગે, તથા
(૩) સુખનાં સ્રોત પ્રભુમાંથી વહેતાં દેખાય.