Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अनन्तरेति-अनन्तरक्षणोत्पादे स्वाव्यवहितोत्तरविसदृशक्षणोत्पादे हिंसकत्वप्रयोजकेऽभ्युपगम्यमाने इति गम्यं । बुद्धलुब्धकयोस्तुला साम्यमापद्येत, बुद्धलुब्धकयोरनन्तरक्षणोत्पादकत्वाविशेषाद् । एवमुक्तप्रकारेण तद्विरतिहिंसाविरतिः क्वापि न स्यात् । ततः शास्त्रादीनामहिंसाप्रतिपादकशास्त्रादिनामसङ्गतिः स्यात् । न चैतदिष्टं परस्य-“सव्वे तसंति दंडेन सव्वेसिं जीवितं प्रियं । अत्तानं उपमं कत्ता नेव हन्ने ન થાત ||કા” ડ્રત્યાધામ) રરવુપમતિ ૮-૨રૂા.
“પોતાના અનંતરક્ષણ(વિસદશ ક્ષણ)ની ઉત્પત્તિની પ્રત્યે પોતાને હિંસક માનવામાં આવે તો બુદ્ધ અને લુબ્ધક : એ બંન્નેમાં સામ્ય આવશે અને તેથી કોઈ પણ સ્થાને હિંસાની વિરતિનો સંભવ નહિ રહે. તેથી અહિંસાદિ પ્રતિપાદક શાસ્ત્રોની અસંગતિ થશે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે સ્વાવ્યવહિતોત્તર વિસદશ ક્ષણની ઉત્પત્તિને વિશે હિંસકત્વનું પ્રયોજકત્વ માની લેવામાં આવે તો બુદ્ધ અને લુળક બંન્નેમાં સામ્યનો પ્રસંગ આવશે. તાત્પર્ય એ છે કે શૂકરાદિના અંત્ય ક્ષણ પછી જે વિસદશ નરાદિ ક્ષણની ઉત્પત્તિ થાય છે, તે વિદેશ ક્ષણની ઉત્પત્તિના કારણે તેના નિમિત્તભૂત પૂર્વેક્ષણમાં હિંસકત્વ મનાય છે. તેથી હિંસકત્વનો પ્રયોજક તાદશ વિસદશક્ષણનો ઉત્પાદ છે. આ રીતે સ્વાવ્યવહિતોત્તર વિસદશક્ષણના ઉત્પાદક તરીકે હિંસકત્વ માની લેવામાં આવે તો લુબ્ધક અને બુદ્ધમાં સામ્ય આવશે. કારણ કે વિસદશ તાદશ ક્ષણના ઉત્પાદક બંન્ને છે. એ દૃષ્ટિએ બંન્નેમાં કોઈ વિશેષતા નથી, પરંતુ સામ્ય છે.
આ રીતે હિંસાથી વિરામ પામવાનું કોઈ પણ રીતે શક્ય નહીં બને તેથી અહિંસાદિ પ્રતિપાદક શાસ્ત્ર અને તદનુસાર અપાતા ઉપદેશ વગેરે અસંગત થશે. “આ વાત ઇષ્ટ જ છે.” - આ પ્રમાણે બૌદ્ધો કહી શકશે નહિ. કારણ કે સર્વે તાંતિ.. ઇત્યાદિ આગમથી તેઓએ જણાવ્યું છે કે બધા પ્રહારાદિથી ત્રાસ પામે છે. બધાને જીવવાનું પ્રિય છે. પોતાની જેમ બધા જીવોને માનીને કોઇને પણ હણે નહિ અને હણાવે નહિ. આ રીતે હિંસાથી વિરામ પામવાનું જણાવનારાને હિંસાદિથી વિરામ પામવાનું અસંભવિત બને તે ઈષ્ટ ન જ હોય - એ સમજી શકાય છે. ૮-૨all.
એકાંતનિત્ય અને એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસા સંગત નથી એ જણાવીને હવે સત્ય વગેરે સંગત થતા નથી – એ જણાવાય છે–
घटन्ते न विनाऽहिंसां सत्यादीन्यपि तत्त्वतः ।
एतस्या वृत्तिभूतानि तानि यद्भगवाञ्जगौ ॥८-२४॥ घटन्त इति-अहिंसां विना सत्यादीन्यपि न घटन्ते । यत एतस्या अहिंसाया वृत्तिभूतानि तानि सत्यादीनि भगवान् जगौ सर्वज्ञो गदितवान् । न च सस्यादिपालनीयाभावे वृत्तौ विद्वान् यतत इति । ननु हन्मीति सङ्कल्प एव हिंसा, तद्योगादेव च हिंसकत्वं, तदभावाच्याहिंसायास्ततश्च तद्वृत्तिभूतसत्यादीनां
૩૨
વાદ બત્રીશી