Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉપર જણાવ્યા મુજબ કર્મબંધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાને ન માનીએ તો શ્રી સિદ્ધપરમાત્માને પણ કર્મબંધનો અનિષ્ટ પ્રસંગ આવે છે. તેને દૂર કરવા ઉપાય જણાવનારની શંકા જણાવવાપૂર્વક તેનું નિરાકરણ કરાય છે–
प्रागबन्धान बन्धश्चेत् किं तत्रैव नियामकम् ।
ચોથતાં તુ પત્તોય વાઘતે તૂષ ન તત્ II૧૨-૨૮ प्रागिति-प्राक् पूर्वमबन्धाद् बन्धाभावाज्जीवत्वरूपाविशेषेऽपि न बन्धो मुक्तस्य चेत् । किं तत्रैव प्रागबन्धे एव नियामकं योग्यताक्षयं विना । योग्यतां तु फलोनेयां फलबलकल्पनीयां तद्रूषणं न बाधते 'तत्र कुतो न योग्यता ?' इत्यत्र फलाभावस्यैवोत्तरत्वात् । युक्तं चैतद् बन्धस्य बध्यमानयोग्यतापेक्षत्वनियमाद्वस्रादीनां मञ्जिष्ठदिरागरूपबन्धने तथादर्शनात् तद्वैचित्र्येण फलभेदोपपत्तेस्तस्या अन्तरङ्गત્વત્તિસ્પરિપાર્થવ હેલ્વન્તરાપેક્ષાવિત્યારા: 19૨-૨૮
પૂર્વે બન્ધ ન હોવાથી મુક્તાત્માઓને કર્મબંધ થતો નથી. મુક્તાત્માઓને પૂર્વે કર્મબંધ થયો ન હતો તેમાં કોણ નિયામક (કારણ) છે? “સિદ્ધાત્માઓમાં કર્મબંધની યોગ્યતા નથી-' આ પ્રમાણે કહેવામાં પણ કોણ નિયામક છે? આ પ્રમાણે કહેવાનો જે દૂષણનો પ્રસંગ આવે છે, તે યોગ્યતાનું બાધક નથી. કારણ કે યોગ્યતાનું અનુમાન તેના ફળથી થાય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો શબ્દાર્થ છે.
તેનો ભાવાર્થ એ છે કે – જીવની દરેકની યોગકષાયસ્વરૂપ કર્મબંધની યોગ્યતા જુદી જુદી હોવાથી જ દરેક જીવને કર્મબંધ જુદો જુદો થાય છે. આ રીતે યોગ્યતાને માનીએ નહિ તો બધાનું જીવતત્ત્વ એકસ્વરૂપ હોવાથી જીવત્વને લઈને જ શ્રી સિદ્ધપરમાત્માઓને પણ કર્મબંધનો પ્રસંગ આવશે. એ પ્રસંગને દૂર કરતા આ શ્લોકના પ્રારંભમાં શંકાકાર એમ જણાવે છે કે શ્રી સિદ્ધપરમાત્માઓ સર્વથા કર્મબંધ ટાળીને શ્રી સિદ્ધપદને પામ્યા છે. તેથી શ્રી સિદ્ધપદની પ્રાપ્તિ પૂર્વે તેમને કર્મબંધનો અભાવ હોવાથી જીવત્વમાં કોઈ વિશેષ ન હોવા છતાં તેઓશ્રીને કર્મબંધનો પ્રસંગ આવતો નથી. સંસારી જીવોને તો કર્મબંધનો અભાવ ન હોવાથી કર્મબંધ થાય છે જ. તેથી ઉપર જણાવ્યા મુજબ યોગ્યતા માનવાની જરૂર નથી.
પરંતુ શંકા કરનારાની એ વાત બરાબર નથી. કારણ કે મુક્તાત્માઓને પૂર્વે કર્મબંધનો અભાવ છે, એમાં કયું કારણ છે? તેઓશ્રીની કર્મબંધની યોગ્યતાનો ક્ષય થયો છે તેથી જ તો તેઓશ્રીને કર્મબંધ થતો નથી. માટે કર્મબંધની યોગકષાયસ્વરૂપ યોગ્યતાને માન્યતા વિના છૂટકો નથી. “આ યોગ્યતામાં પણ કોણ કારણ છે? શ્રી સિદ્ધપરમાત્માઓની કર્મબંધની યોગ્યતાનો ક્ષય થયો છે - એમાં શું પ્રમાણ છે ?” – આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે શ્રી સિદ્ધપરમાત્માને કર્મબંધનો અભાવ હોવાથી એના અનુરોધથી જ ત્યાં યોગ્યતાના અભાવનું ૧૯૦
યોગપૂર્વસેવા બત્રીશી