Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા માર્ગ પ્રત્યે “આ જ તત્ત્વ છે' આવી શ્રદ્ધાથી જે અનુષ્ઠાન થાય છે, તેને અમૃત-અનુષ્ઠાન કહેવાય છે. કારણ કે તે અનુષ્ઠાન, જ્યાં મરણનો સર્વથા અભાવ છે એવા અમરણસ્વરૂપ મોક્ષનું કારણ બને છે. યોગબિંદુમાં અમૃત-અનુષ્ઠાનનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - “શ્રી જિનેશ્વરભગવંતોએ ઉપદેશ્ય છે : એમ સમજીને મોક્ષની તીવ્ર અભિલાષાથી પરમશ્રદ્ધાપૂર્વક જે અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનને શ્રી ગૌતમાદિ મહામુનિઓ અમૃત-અનુષ્ઠાન કહે છે.” ૧૩-૧૩ી.
મેિવ ઇત્યાદિ શ્લોકથી (આઠમા શ્લોકથી) જણાવેલી વાતનો ઉપસંહાર (સમાપન) કરાય છે
चरमे पुदगलावर्ते, तदेवं कर्तृभेदतः ।
सिद्धमन्यादृशं सर्वं, गुरुदेवादिपूजनम् ॥१३-१४॥ ઘરમ તિ–નિામનું સ્પષ્ટમ્ II9 રૂ-૧૪||
શ્લોકાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે આ પૂર્વે આઠમા શ્લોકથી કત્તના ભેદથી અનુષ્ઠાનમાં ભેદ છે તે જણાવ્યું હતું. એના સમર્થનમાં વિષાનુષ્ઠાનાદિ પાંચ પ્રકાર, દરેક અનુષ્ઠાનના જણાવ્યા. તેથી આ શ્લોકથી કત્તના ભેદે અનુષ્ઠાનોનો ભેદ સિદ્ધ છે એ જણાવીને નિગમન કરાય છે. દરેક અનુષ્ઠાનો પાંચ પ્રકારનાં છે એ સિદ્ધ થયે છતે; તે તે આશયવિશેષને લઈને કર્તાના ભેદને આશ્રયીને ગુરુદેવાદિપૂજન વગેરે સ્વરૂપ બધાં જ અનુષ્ઠાનો ચરમાવર્તકાળમાં, અચરમાવર્તકાળમાં થનારાં તે તે અનુષ્ઠાનોની અપેક્ષાએ જુદાં જ છે એ સિદ્ધ થાય છે. ૧૩-૧૪
અચરમાવર્તકાળનાં ગુર્નાદિપૂજાઘનુષ્ઠાનો કરતાં, ચરમાવકાલીન તે તે અનુષ્ઠાનોની વિલક્ષણતા(વિશેષતા) જણાવાય છે
सामान्ययोग्यतैव प्राक्, पुंसः प्रववृते किल ।
तदा समुचिता सा तु, सम्पन्नेति विभाव्यताम् ।।१३-१५॥ सामान्येति-सामान्ययोग्यता मुक्त्युपायस्वरूपयोग्यता । समुचितयोग्यता तु तत्सहकारियोग्यतेति विशेषः । पूर्वं ह्येकान्तेन योग्यस्यैव देवादिपूजनमासीत्, चरमावर्ते तु समुचितयोग्यभावस्येति चरमावर्तदेवादिपूजनस्यान्यावर्तदेवादिपूजनादन्यादृशत्वमिति योगबिन्दुवृत्तिकारः ।।१३-१५॥
“ચરમાવર્તકાળની પૂર્વે અચરમાવર્તકાળમાં આત્મામાં સામાન્ય યોગ્યતા જ પ્રવર્તતી હતી. ચરમાવર્તકાળમાં તો સમુચિત યોગ્યતા પ્રાપ્ત થયેલી છે. એનો સારી રીતે વિચાર કરવો જોઇએ.” - કહેવાનો આશય એ છે કે અચરમાવર્તકાળમાં મુક્યુપાય(યોગ)ની માત્ર સ્વરૂપયોગ્યતા આત્મામાં હતી. તે યોગ્યતા સહકારી(કાલાદિ) કારણોના સમવધાનથી રહિત એક પરિશીલન
૨૧૧