Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મોક્ષ, તેના ઉપાયો અને તેની સાધનામાં તત્પર એવા આત્માઓ પ્રત્યે ખરેખર તો ઠેષ કરવાનું કોઈ જ કારણ નથી. પરંતુ અજ્ઞાન, કદાગ્રહ, સુખની તીવ્ર આસક્તિ અને દુઃખ પ્રત્યેનો તીવ્ર દ્રષ... વગેરે કારણે મુક્તિ વગેરે પ્રત્યે દ્વેષ થતો હોય છે. અજ્ઞાનાદિના નાશ માટે પ્રયત્નશીલ આત્માઓને મુત્સદ્વેષ સુલભ બને છે. ૧૩-૨પા મુક્તદ્વેષથી ગુણનો રાગ પ્રાપ્ત થયા પછી જે ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે–
धारालग्नः शुभो भाव, एतस्मादेव जायते ।
અન્તસ્તવિશુધ્યા ઘ, વિનિવૃત્તાત્વત: રૂરદ્દો “આ મુજ્યàષના જ કારણે આત્માની વિશુદ્ધિથી અસદ્ધસ્તુના આગ્રહની નિવૃત્તિને લઈને અનવરત શુભભાવનો આવિર્ભાવ થાય છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે - મુક્તિ પ્રત્યેના અષના કારણે નવાં અશુભ કર્મોનો બંધ થતો નથી તેમ જ પૂર્વબદ્ધ તે કર્મોનો ક્ષય થવાથી આત્મા વિશુદ્ધ બને છે અને તેથી અત્યાર સુધી વિતસિંબંધી જે અભિનિવેશ - આગ્રહ હતો તેની નિવૃત્તિ થાય છે. તેને લઇને આત્માને અનવરતપણે શુભભાવની ધારા પ્રાપ્ત થાય છે.
મુક્તષથી ગુણ પ્રત્યે રાગ થયા પછી એટલામાત્રથી ગુણની પ્રાપ્તિ થઈ જતી નથી. ગુણની પ્રાપ્તિને અનુકૂળ એવો પ્રયત્ન કરાય નહીં તો ગુણની પ્રાપ્તિ નહીં જ થાય. અત્યાર સુધી અતત્ત્વસંબંધી જ આગ્રહ હતો. કંઈકેટલીય જાતના એ વિતથના આગ્રહને સમજવા પણ ના દે એવો એ અભિનિવેશ હતો. સદ્ભાગ્યે મુજ્યષના કારણે અંતસ્તત્ત્વ-આત્માની વિશુદ્ધિ થવાથી એ અભિનિવેશ નષ્ટ થાય છે. તેથી નિરંતર શુભ ભાવની ધારા પ્રગટે છે. આ પ્રભાવ મુક્તિ પ્રત્યેના અષનો છે. સતત અશુભ ભાવોમાં જ આનંદ પામવાની સ્થિતિમાંથી આત્માને શુભભાવમાં રમણ કરાવનાર મુજ્યદ્વેષ છે. તેને લઇને અહીં (મુક્તશ્લેષકાળે) બધાં જ અનુષ્ઠાનો શુભ બને છે. પૂર્વકાળમાં(અચરમાવર્તકાળમાં) જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મો સંલેશનાં હેતુ બનતાં હતાં તેમ હવે આત્મવિશુદ્ધિના કારણે તે કર્મો સંક્લેશનાં કારણ બનતાં નથી. અનાદિકાળથી સ્વભાવભૂત થયેલા કર્મમલનો ક્ષય થવાથી આત્મા વિશુદ્ધ બને છે. II૧૩-૨૬ll
મુજ્યદ્વેષ વખતે કર્મબંધ થતો હોવા છતાં તેવા પ્રકારના ભયનું તે કારણ બનતો નથી, ' તે જણાવાય છે
अस्मिन् सत्साधकस्येव, नास्ति काचिद् बिभीषिका । सिद्धेरासन्नभावेन, प्रमोदस्यान्तरोदयात् ॥१३-२७॥
એક પરિશીલન
૨ ૨૧