Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
યદ્યપિ આ રીતે તો વેદાદિમાં પ્રમાનિમિત્તત્વ(યથાર્થ બોધનિમિત્તત્વ) માત્રનો જ સ્વીકાર કર્યો ગણાય. પ્રમાકરણત્વસ્વરૂપ પ્રામાણ્યનો સ્વીકાર કરાયેલ નથી. તેથી તમારામાં (જૈનોમાં) વેદપ્રામાયનો અભ્યપગમ ન હોવાથી કોઈ દોષ(અતિવ્યાતિ) નહીં આવે – એમ કહી શકાય છે. પરંતુ તમે (નૈયાયિકાદિએ) સ્વીકારેલ પ્રમાકરણત્વસ્વરૂપ જ પ્રામાણ્ય બધા પ્રમાતાઓએ (પ્રામાણિકોએ) માન્યું નથી. અવ્યભિચારીસ્વરૂપ પ્રામાણ્યનું નિર્વચન તે તે સ્થાને કરાયેલું છે. આથી શિષ્ટલક્ષણમાં ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાતિવગેરે દોષો છે જ, એ સ્પષ્ટ છે.ll૧૫-રલા ઉપર જણાવેલા દોષોના નિવારણ માટે ઉપાય જણાવીને તેમાં દોષ જણાવાય છે
तात्पर्य वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः ।
ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ॥१५-३०॥ तात्पर्यमिति-वो युष्माकं स्वसिद्धान्तोपजीव्यं स्वसिद्धान्तपुरस्कारि तात्पर्य । तथा चान्यागमानुपजीव्यतात्पर्य सकलवेदप्रामाण्याभ्युपगमनिवेशान्न दोष इति चेद्यदि तव मतिः, ननु तदा द्वयोरप्यावयोरविशेषतो युक्त्युपजीव्यत्वम् । अयं भावः-अन्यागमानुपजीव्यत्वं ह्यन्यागमासंवादित्वं चेत्तत्संवादिनि स्वाभिप्रायेऽव्याप्तिरयौक्तिकतदसंवादित्वं चेदस्माकमपि तात्पर्यमयौक्तिकागमासंवाद्येव, सर्वस्यैव भगवद्वचनस्य युक्तिप्रतिष्ठितत्वाद् मिथ्याश्रुततात्पर्यस्यापि स्याद्वादसङ्गतयुक्त्यैव गृह्यमाणत्वात् I/9૧-||
સ્વતાત્પર્યમાં તાત્પર્ય; અમારા(નૈયાયિકોના) સિદ્ધાંતને અનુસાર હોવું જોઈએ. આ પ્રમાણે જો કહેવામાં આવે તો, તમારે અને અમારે આપણને બંન્નેને યુક્તિને અનુસરનારું તાત્પર્ય સામાન્ય છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે, પોતપોતાના તાત્પર્ય મુજબ સંપૂર્ણપણે વેદના પ્રામાણ્યના અભ્યપગમની વિવક્ષા કરવાથી જૈનોને પણ ઉપર જણાવ્યા મુજબ શિષ્ટ માનવાનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે તૈયાયિકો દ્વારા એમ કહેવામાં આવે કે - સ્વતાત્પર્ય એટલે અમારા(નૈયાયિકના) સિદ્ધાંતને અનુસરનારું તાત્પર્ય. તેથી અમારા આગમને છોડીને અન્ય જૈનાદિના આગમથી ઉપજીવ્ય (અનુસરનાર) ન હોય એવા તાત્પર્યમાં વેદના પ્રામાણ્યના અભ્યાગમનો નિવેશ કરવાથી જૈનોમાં શિષ્ટનું લક્ષણ સંગત નહીં થાય. કારણ કે તેઓ અન્યાનુપજીવ્યવેદના પ્રામાણ્યને સ્વીકારતા નથી.
આ રીતે અતિવ્યાપ્તિનું નિવારણ યદ્યપિ થઈ જાય છે; પરંતુ આવી વિવેક્ષાથી કોઈ પણ પ્રકારની વિશેષતા વિના આપણા બંન્નેમાં યુફત્યુપજીવ્યત્વ સમાન છે. આશય એ છે કે અન્યાગમાનુપજીવ્યત્વ અન્યાગમાસંવાદિત્ય સ્વરૂપ છે. પોતાના આગમને છોડીને બીજાના આગમની સાથે સંવાદી ન બને તો તે તાત્પર્ય; સ્વસિદ્ધાંતોપજીવ્ય એટલે કે અન્ય આગમથી અનુપજીવ્ય કહેવાય છે. એવા તાત્પર્યની વિવક્ષા કરાય તો અન્ય આગમની સાથે સંવાદી
૩૦૨
સમ્યગ્દષ્ટિ બત્રીશી.