Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કહેવાનું તાત્પર્ય એ છે કે શિષ્ટના લક્ષણમાં જે વેદપ્રામાણ્યાભ્યાગમનો નિવેશ છે; તે વેદનું પ્રામાણ્ય સંપૂર્ણ સ્વરૂપે વિવલિત છે કે પછી દેશથી(અંશતઃ) વિવક્ષિત છે - આ વિકલ્પના વિવેચનથી લક્ષણમાં આવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ થાય છે. નૈયાયિકોને અભિમત જે શ્રુતિ છે તેને વેદાંતીઓ પ્રમાણ માનતા નથી. તેથી વેદાંતીઓ સ્વરૂપ બ્રાહ્મણમાં સંપૂર્ણ વેદના પ્રામાણ્યનો અભ્યાગમ નથી. આવી જ રીતે વેદાંતીઓને અભિમત શ્રુતિને નૈયાયિકો પ્રમાણ માનતા નથી. તેથી તેમનામાં પણ સંપૂર્ણ વેદના પ્રામાણ્યનો અભ્યાગમ નથી. તેથી બ્રાહ્મણમાં લક્ષણનો સમન્વય ન થવાથી અવ્યાપ્તિ આવે છે. આ અવ્યાપ્તિના નિવારણ માટે દેશથી વેદપ્રામાણ્યાભ્યાગમનો નિવેશ કરીએ તો બ્રાહ્મણમાં લક્ષણસમન્વય થવાથી અવ્યાપ્તિ નહીં આવે. પરંતુ તૈયાયિકાદિની જેમ બૌદ્ધાદિમાં પણ લક્ષણસમન્વય થવાથી અતિવ્યાપ્તિ આવે છે. કારણ કે ‘ર હિંસ્યા સર્વભૂતનિ'; નિર્દિકશ્ય બેનમ'... ઇત્યાદિ વેદવાક્યોને તો બૌદ્ધાદિ પણ માને છે.
“એ દોષોના નિવારણ માટે પોતાના અભિપ્રાયની અપેક્ષાએ સંપૂર્ણ વેદના પ્રામાણ્યના અભ્યાગમનો લક્ષણમાં નિવેશ કરીએ તો અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ સ્વરૂપ દોષ નહીં આવે. કારણ કે વેદાંતીઓ અને નૈયાયિકો વગેરે બ્રાહ્મણો પોતપોતાના તાત્પર્યને આશ્રયીને વેદને સંપૂર્ણ પ્રમાણ માને છે. બૌદ્ધાદિ સંપૂર્ણ વેદને પ્રમાણ માનતા નથી.” - આ પ્રમાણે જણાવવામાં આવે; તો... (તે બરાબર નથી... ઇત્યાદિ હવે પછી જણાવાય છે.)... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૫-૨શી. ઉપર જણાવેલી વાતમાં દૂષણ જણાવાય છે–
नैवं विशिष्य तात्पर्याग्रहे तन्मानताऽग्रहात् ।
सामान्यतः स्वतात्पर्ये, प्रामाण्यं नोऽपि सम्मतम् ॥१५-२८॥ नैवमिति-एवं मतिनिर्युक्ता कस्याश्चिद्दुरवबोधायाः श्रुतेर्विशिष्य स्वकल्पितार्थानुसारेण तात्पर्याग्रहे । तन्मानतायास्तत्प्रमाणताया अग्रहात् । स्वतात्पर्ये सर्ववेदप्रामाण्याभ्युपगमस्य दुःशकत्वादनाकलिततात्पर्यायामपि श्रुतौ प्रमोपहितत्वाग्रहेऽपि प्रमाकरणत्वस्य सुग्रहत्वान्न दोष इत्यत आहसामान्यतो नयरूपत्वेन । स्वतात्पर्ये स्वाभिप्रायप्रामाण्ये वेदप्रामाण्यं । नोऽस्माकं जैनानामपि सम्मतं । यावन्तो हि परसमयास्तावन्त एव नया इति श्रुतपरिकर्मितमतेः सर्वमेव शब्दं प्रमाणीकुर्वतः सकलवेदप्रामाण्याभ्युपगमोऽनपाय एवेति ।।१५-२८।।
પૂર્વ શ્લોકમાં જણાવેલી માન્યતા યુક્ત નથી. કારણ કે શ્રુતિના કોઈ વચન દુઃખે કરી જાણી શકાય તેવા હોય ત્યારે તેનું જ્ઞાન પોતાના તાત્પર્યના અનુસાર ન થાય તો તેના પ્રામાણ્યનો ગ્રહન થવાથી દોષ આવશે. “વિશેષ સ્વરૂપે તાત્પર્યનો ગ્રહ ન થવા છતાં સામાન્યથી ગ્રહ(જ્ઞાન) હોવાથી દોષ નથી.' - આ પ્રમાણે કહેવામાં આવે તો એવો સામાન્યથી ગ્રહ અર્થાત્ પ્રામાણ્યનો
૩૦૦
સમ્યગ્દષ્ટિ બત્રીશી