Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 292
________________ પ્રમા. ઈત્યાઘાકારક જ્ઞાનને અપ્રામાણ્યગ્રહ તરીકે અહીં વર્ણવ્યું છે અને વેવા પ્રમાણમ્... ઇત્યાઘાકારક જ્ઞાનના અભાવ સ્વરૂપ; પ્રમાકરણત્વાભાવ છે. ઉપર જણાવ્યા મુજબ શયનાદિદશામાં વેદના અપ્રામાણ્યના ગ્રહનો અભાવ હોવાથી તેવા બ્રાહ્મણને લઈને આવ્યાપ્તિ આવતી નથી. પરંતુ જ્યાં અપ્રમાકરણત્વનું અને પ્રમાકરણત્વનું જ્ઞાન આહાર્ય (બાધકાલીન ઇચ્છાના કારણે ઉત્પન્ન થયેલું) હોય ત્યારે પ્રમાકરણત્વના ગ્રહની સાથે અપ્રમાકરણત્વનો ગ્રહ હોય તેમ જ અપ્રમાકરણત્વના ગ્રહની સાથે તેના અભાવનો પણ ગ્રહ હોય - એ બને. તેથી જે બૌદ્ધને અપ્રમાકરણત્વના જ્ઞાન પછી વેદના પ્રામાણ્યનો તેવો (આહાર્યગ્રહ) બોધ થાય તો તેને લઈને અતિવ્યાપ્તિ આવશે. તેના નિવારણ માટે અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વાભાવ પ્રામાણ્યના વિરોધી વિચલિત છે. આહાર્યાદિજ્ઞાન તેમ જ શયનાદિદશામાંનું પ્રમાકરણવાભાવાદિ પ્રામાણ્યનું વિરોધી નથી. તેથી તેને લઇને અતિવ્યાપ્તિ વગેરે નહિ આવે. આ પ્રમાણે કહેવામાં આવે તો અન્યત્ર દોષ આવે છે. ૧૫-૧૮ આ પ્રમાણે વેદને અપ્રમાણ નહિ માનનારને શિષ્ટ માનવામાં આવે તો જે દોષ આવે છે તે તેનાથમન્તરિ... ઇત્યાદિ ગ્રંથથી જણાવાય છે अजानति च वेदत्वमव्याप्तं चेद् विवक्ष्यते । વેલ્વેનાડુમતથાપિ ચાકલઃ નિ ૦૧-૧૧ अजानति चेति-वेदत्वं च वेदेऽजानति ब्राहाणे अव्याप्तं लक्षणमेतत् । तेन वेदाप्रामाण्याभ्युपगमाद् । अथ चेद्यदि वेदत्वेनाभ्युपगमो विवक्ष्यते वेद एव वेदत्वमजानतश्च न वेदत्वेनाप्रामाण्याभ्युपगमः किं त्विदमप्रमाणमिति इदन्त्वादिनैवेति नाव्याप्तिस्तथाप्यद एतल्लक्षणं किल ॥१५-१९॥ “(વેદના અપ્રામાણ્યને માનનારા) અને વેદને નહિ જાણનાર એવા બ્રાહ્મણમાં વેદાપ્રામાણ્યસ્તૃત્વનો વિરહ ન હોવાથી શિષ્ટલક્ષણ તે બ્રાહ્મણમાં અવ્યાપ્ત છે. આ અવ્યાપ્તિદોષના નિવારણ માટે વેદસ્વરૂપે વેદના અભ્યાગમની પણ વિવફા કરાય તોપણ આ લક્ષણ... (આગળના વશમા શ્લોકમાં જણાવ્યા મુજબ કાગડામાં અતિવ્યાપ્ત છે.) આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે બ્રાહ્મણ વેદને પ્રમાણ માનતો નથી અર્થાત્ વેદને અપ્રમાણ માને છે અને વેદને વેદસ્વરૂપે જાણતો નથી; તે બ્રાહ્મણમાં શિષ્ટલક્ષણ સંગત થતું ન હોવાથી અવ્યામિ આવે છે. આ અવ્યાપ્તિના નિવારણ માટે શિષ્ટના લક્ષણમાં વેદસ્વરૂપે વેદના અભ્યાગમનો નિવેશ કરી લેવો જોઈએ, તેથી અવ્યાપ્તિ નહીં આવે. કારણ કે જે બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે, તેણે વેદને વેદસ્વરૂપે જાણ્યા નથી. તેથી વેદને વેદસ્વરૂપે જાણીને તેમાં અપ્રામાણ્યનો ગ્રહ બ્રાહ્મણે કર્યો ન હોવાથી વેદત્વેન વેદાભ્યપગમવિશિષ્ટ એક પરિશીલન ૨૮૯

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310