Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 294
________________ અવચ્છેદક કહેવાય છે. તિર્યંચોનું જ્ઞાન મનુષ્યાદિના જ્ઞાનની અપેક્ષાએ અપકૃષ્ટ હોવાથી કાગડાનું શરીર ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક ન હોવાથી “પષ્ટજ્ઞાનાવિચ્છેવશરીરવલ્વે સતિ વેન્ટેન વેતામ્યવશિષ્ટવેલનાથમનૃત્વવિર: શિષ્ટત્વ આ લક્ષણ કાગડામાં જતું નથી. પરંતુ આવું શિષ્ટનું લક્ષણ ભવાનીપતિ(શંકર) - ઈશ્વરમાં જતું નથી. કારણ કે પરમાત્મા-ઇશ્વરને શરીર જ હોતું નથી. તેથી ઇશ્વરને લઈને આવ્યાપ્તિ આવે છે... ઇત્યાદિ સમજી લેવું. ૧૫-૨ના એ અવ્યાપ્તિના નિવારણ માટેના ઉપાયથી જે દૂષણ છે, તે જણાવાય છે– अन्याङ्गरहितत्वञ्च, तस्य काकभवोत्तरम् । देहान्तराग्रहदशामाश्रित्यातिप्रसक्तिमत् ॥१५-२१॥ अन्येति-अन्याङ्गरहितत्वं च अपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यं च । तस्य ब्राह्मणभवानन्तरप्राप्तकाकभवस्य । काकभवोत्तरं देहान्तराग्रहदशां शरीरान्तरानुपादानावस्थामाश्रित्य अतिप्रसक्तिमदतिव्याप्तं तदानीमपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यात् ।।१५-२१।। “પૂર્વે જણાવ્યા મુજબ ઇશ્વરને લઈને આવતી અવ્યાપ્તિના નિવારણ માટે અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક – શરીરરહિતત્વની વિવફા કરાય તો બ્રાહ્મણના ભવ પછી મળેલા કાગડાના ભાવ પછી શરીરાંતરનું ગ્રહણ કર્યું ન હોય તે દશાને લઈને અતિવ્યાપ્તિ આવે છે.” – આ પ્રમાણે એકવીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પરમાત્મા અશરીરી હોવાથી ઉત્કૃષ્ટજ્ઞાનાવરચ્છેદકશરીરવત્ત્વ(શરીર) તેઓમાં નથી. એ રીતે શિષ્ટનું લક્ષણ પરમાત્મા-ઇશ્વરમાં ન જવાથી અવ્યાપ્તિ આવે છે. તેના નિવારણ માટે કષ્ટજ્ઞાનાવિચ્છેદ શરીરવત્વે સતિ - એના બદલે અન્યાંગરહિતત્વ અર્થાત્ સપષ્ટજ્ઞાનવિચ્છેદ શરીરહિતત્વે સતિ આવો નિવેશ કરવો જોઇએ. જેથી કાગડામાં અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરરહિતત્વ ન હોવાથી અને ઈશ્વરમાં તે હોવાથી અનુક્રમે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નહીં આવે. પરંતુ તાદશ વિવક્ષાથી પ્રથમ જે બ્રાહ્મણ હતો ત્યાર પછી તે તેવા પ્રકારના પાપના યોગે કાગડો થયો અને ત્યાર પછી બીજા ભવમાં જતાં પૂર્વે તે ભવનું શરીર ગ્રહણ કરતાં પૂર્વે જે શરીરરહિત અવસ્થા છે; (કાગડાનું શરીર જતું રહ્યું છે અને બીજું હજુ ગ્રહણ કર્યું નથી.) તે અવસ્થાપન્ન બ્રાહ્મણજીવમાં શિષ્ટનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ આવે છે. ll૧૫-૨૧TI અતિવ્યાપ્તિનું નિવારણ કરાય છે– अवच्छेदकदेहानामपकृष्टधियामथ । सम्बन्धविरहो यावान्, प्रामाण्योपगमे सति ॥१५-२२॥ એક પરિશીલન ૨૯૧

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310