Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જણાવે અને તે વખતે શુભલિંગો (મંગલધ્વનિ વગેરે) પણ પ્રાપ્ત થાય તો તે બધાં સિદ્ધિ-ઈષ્ટનાં કારણ બને છે.” આ રીતે ત્રણ પ્રત્યયથી કરેલું કાર્ય વિવલિત ફળવાળું બને છે. /૧૪-૨થી સિદ્ધિનું તાત્ત્વિક સ્વરૂપ જણાવાય છે–
सिद्धिः सिद्ध्यनुबद्धैव न पातमनुबध्नती ।
રાત્રિાના શ્રેષા નાત્માલિપ્રત્યર્થ વિના I9૪-૨૮ सिद्धिरिति-सिद्ध्यनुबद्धैवोत्तरसिद्ध्यवन्ध्यबीजमेव । सिद्धिर्भवति तात्त्विकी । न पुनः पातं भ्रंशमनुबनती । प्राक्कालव्याप्त्यवष्टभ्नती । शल्योपहतप्रासादादिरचनाया इवान्यस्या मिथ्याभिनिवेशादिपातशक्त्यनुवेधेनासिद्धित्वात् । तदुक्तं-“सिद्ध्यन्तरं न सन्धत्ते या सावश्यं पतत्यधः । तच्छक्त्याप्यनुविद्धैव पातोऽसौ तत्त्वतो मतः ।।१॥” इति । इत्थं च सिद्ध्यन्तराङ्गसंयोगादात्मादिप्रत्ययवतामेव सिद्धिः सिद्धा भवति । हाठिकानामपि बलात्कारचारिणामपि । एषा हि सिद्धिः । आत्मादिप्रत्ययं विना न भवति । न हि मृत्पिण्डाद्युपायान्तरकार्यं घटादि बलात्कारसहस्रेणाप्युपायान्तरतः साधयितुं शक्यत इति ।।१४-२८।।
સિદ્ધિ, ઉત્તર (બીજી) સિદ્ધિના બીજ-કારણ સ્વરૂપ હોય તો જ તે તાત્ત્વિકસિદ્ધિ છે. પરંતુ ભવિષ્યમાં તે સિદ્ધિનો ભ્રંશ થવાનો હોય તો તે સિદ્ધિ સિદ્ધિ નથી. બલાત્કારે પણ અનુષ્ઠાન કરનારાને આ સિદ્ધિ આત્માદિ ત્રણ પ્રત્યય વિના થતી નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે આત્માદિ(ગુરુ અને લિંગ) ત્રણ પ્રત્યયને સિદ્ધિનાં કારણ તરીકે વર્ણવ્યા છે. એમાં સિદ્ધિ કોને કહેવાય છે – એ પ્રશ્નના સમાધાન માટે આ શ્લોક છે. સામાન્ય રીતે ઈષ્ટની પ્રાપ્તિ એ સિદ્ધિ છે. પરંતુ એ સિદ્ધિ ભવિષ્યમાં નાશ પામે તો વર્તમાન સિદ્ધિનો કોઈ અર્થ નથી. તેથી ભવિષ્યની સિદ્ધિના અવંધ્ય કારણ સ્વરૂપ જે સિદ્ધિ છે તે જ તાત્ત્વિક સિદ્ધિ છે. તાત્ત્વિકસિદ્ધિ તેના ભ્રંશનો અનુબંધ કરનારી હોતી નથી. જે કાળમાં સિદ્ધિ છે તેના ઉત્તરકાળમાં પણ સિદ્ધિ છે - આવી વ્યામિ ઉપર જણાવ્યા મુજબ તાત્ત્વિક સિદ્ધિને આશ્રયીને છે. તાત્ત્વિક સિદ્ધિ આ વ્યાપ્તિને(પૂર્વાપરીભાવને) અવરોધતી નથી.
હાડકાં વગેરે શલ્યના ઉપઘાતથી; પૂરતા પ્રયત્ન પણ રચાતો પ્રાસાદ જેમ ખંડિત થઈ જ જાય છે અને તે સ્થિર થતો નથી તેમ આત્માદિ પ્રત્યય વિના કરાતા અનુષ્ઠાનની સિદ્ધિ પણ; મિથ્યા આગ્રહ(અભિનિવેશ) વગેરેના કારણે ચોક્કસ જ બ્રશને પામતી હોય છે. આ રીતે અનુપાત (ભ્રંશ)ની શક્તિવાળી એ સિદ્ધિ ખરી રીતે સિદ્ધિ જ નથી. યોગબિંદુમાં આ વિષયમાં જણાવ્યું છે કે “જે સિદ્ધિ બીજી સિદ્ધિને લાવી ન આપે એ સિદ્ધિ આગળ જતાં અવશ્ય પડી જવાની છે. વર્તમાનમાં એનું પતન (ભ્રંશ) થયેલું ન હોવા છતાં તે પાતશક્તિથી યુક્ત હોવાથી વાસ્તવિક રીતે તેનું પતન થયેલું જ મનાય છે. આથી ચોક્કસપણે સમજી શકાશે કે સિદ્દવ્યંતર(બીજી સિદ્ધિ)ના અંગ(કારણ)નો સંયોગ કરી આપવાના કારણે; આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને ૨૬૨
અપુનર્બન્ધક બત્રીશી