Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 282
________________ પ્રભાવથી તે ઓળખાય છે. એક દિવસ અચિંત્ય વર્ષોલ્લાસથી તેને ભેદવા માટે આંતર પ્રયત્ન થાય છે અને તેથી તે અનાદિની પરિણતિ નાશ પામે છે, જેના કાર્યરૂપે આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ૧૫-૮૫. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી કોઈ વાર સંક્લેશ-વિશેષના કારણે સમ્યગ્દર્શનથી પતન થાય તોપણ ગ્રંથિભેદના સમયે થતા કર્મબંધથી અધિક કર્મબંધ થતો નથી – એ જણાવાય છે. અર્થાત્ ગ્રંથિભેદના કારણે પ્રાપ્ત થનારી સિદ્ધિને જણાવાય છે– पतितस्यापि नामुष्य, ग्रन्थिमुल्लथ्य बन्धनम् । स्वाशयो बन्धभेदेन, सतो मिथ्यादृशोऽपि तत् ॥१५-९॥ पतितस्यापीति-अमुष्य भिन्नग्रन्थेः पतितस्यापि तथाविधसङ्क्लेशात् सम्यक्त्वात् परिभ्रष्टस्यापि । न नैव । ग्रन्थि ग्रन्थिभेदकालभाविनी कर्मस्थितिम् । उल्लध्यातिक्रम्य सप्ततिकोटिकोट्यादिप्रमाणस्थितिकतया । बन्धनं ज्ञानावरणादिपुद्गलग्रहणं । तत्तस्मान्मिथ्यादृशोऽपि सतो भिन्नग्रन्थेः । बन्धभेदेनाल्पस्थित्या कर्मबन्धविशेषेण । स्वाशयः शोभनः परिणामः । बाह्यासदनुष्यनस्य प्रायः साम्येऽपि बन्धाल्पत्वस्य सुन्दरपरिणामनिबन्धनत्वादिति भावः । तदुक्तं-“भिन्नग्रन्थेस्तृतीयं तु सम्यग्दृष्टेरतो हि न । पतितस्याप्यतो बन्धो ग्रन्थिमुल्लङ्घ्य देशितः ।।१।। एवं सामान्यतो ज्ञेयः परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतो महाबन्धविशेषतः ॥२॥ सागरोपमकोटीनां कोट्यो मोहस्य सप्ततिः । अभिन्नग्रन्थिबन्धोऽयं न त्वेकोऽपीतरस्य तु ॥३।। तदत्र परिणामस्य भेदकत्वं नियोगतः । बाह्यं त्वसदनुष्ठानं प्रायस्तुल्यं द्वयोरपि ॥४॥” “बंधेणं न वोलइ कयाई” इत्यादिवचनानुसारिणां सैद्धान्तिकानां मतमेतत् । कार्मग्रन्थिकाः पुनरस्य मिथ्यात्वप्राप्तावुत्कृष्टस्थितिबन्धमपीच्छन्ति, तेषामपि मते तथाविधरसाभावात्तस्य शोभनपरिणामत्वे न विप्रतिपत्तिरिति ध्येयम् ।।१५-९।। આ ભિન્ન ગ્રંથિવાળા(ગ્રંથિનો ભેદ જેમણે કર્યો છે તે) આત્માને; સમ્યગ્દર્શનથી પતન થાય તોપણ; ગ્રંથિનો ભેદ કરતી વખતની કર્મસ્થિતિનું ઉલ્લંઘન કરીને કર્મ(જ્ઞાનાવરણીયાદિ)નો બંધ થતો નથી. તેથી સમ્યગ્દર્શનથી પતન પામેલા મિથ્યાષ્ટિ હોવા છતાં તેમણે ગ્રંથિનો ભેદ કરેલો હોવાથી કર્મબંધવિશેષના કારણે તેમનો આશય સારો છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ગ્રંથિનો ભેદ કરનારા આત્માઓને ભિન્નગ્રંથિક કહેવાય છે. તેઓ કોઇ વાર તેવા પ્રકારના સંક્લેશના કારણે સમ્યગ્દર્શનના પરિણામથી પરિભ્રષ્ટ પણ થાય; તોપણ ગ્રંથિભેદ કરતી વખતે જે કર્મસ્થિતિનો તેઓ બંધ કરતા હતા, તેનું ઉલ્લંઘન કરીને સિત્તેર કોટાકોટિ વગેરે સાગરોપમ પ્રમાણ કર્મોની સ્થિતિનો તેઓ ક્યારેય બંધ કરતા નથી. અર્થાત્ જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોનું તેઓ તે રીતે ગ્રહણ કરતા નથી. તેથી ગ્રંથિનો ભેદ કર્યા પછી કોઈ વાર તેવા પ્રકારના સંક્લેશના કારણે સમ્યકત્વથી પડવા છતાં તે મિથ્યાદષ્ટિના પરિણામ એક પરિશીલન ૨૭૯

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310