Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છે. અસહ્નો જેમને આગ્રહ છે, એવા લોકો આત્માદિ પ્રત્યયની અવગણના કરે છે. શાસ્ત્રવિહિત અનુષ્ઠાન કરે અને આગમવિહિત આત્મપ્રત્યયાદિને માને નહિ; તેથી ખરેખર તો તે આગમના ‘ષી જ કહેવાય છે... ઇત્યાદિ આશયથી સાવ આ શ્લોક છે.
કહેવાનો ભાવ એ છે કે એક યોગ પછી બીજો યોગ અને એની પછી ત્રીજો યોગ : આ રીતે ઉત્તરોત્તર એ શ્રેષ્ઠ યોગની પરંપરાનો આરંભ કરનારા આત્માને સાનુબંધયોગ સ્વરૂપ સદ્યોગના આરંભક કહેવાય છે. આ સદ્યોગના આરંભક જ શાસ્ત્રસિદ્ધ આ આત્માદિ પ્રત્યાયની અપેક્ષા રાખે છે. અતીન્દ્રિય પદાર્થના સમુદાયનું સમર્થન કરવા માટે સમર્થ એવા આગમને શાસ્ત્ર કહેવાય છે. આત્મપ્રત્યય, ગુપ્રત્યય અને લિંગપ્રત્યયઃ આ ત્રણ પ્રત્યય શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે, જેની અપેક્ષા સાનુબંધયોગારંભક જ રાખે છે. તેથી બીજા અસયોગારંભક આત્માઓથી સદ્યોગારંભક આત્મા કાયમ માટે જાત્યમોરની જેમ ભિન્ન છે. સર્વદોષથી રહિત એવો જાત્ય મોર અજાત્ય મોરથી જેમ ભિન્ન જ હોય છે તેમ સદાને માટે સોગારંભક, બીજા અસદ્યોગારંભક આત્માઓથી ભિન્ન જ હોય છે. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે - પરિશુદ્ધયોગની સિદ્ધિ માટે જે યોગ્ય છે તેમને “અનુષ્ઠાન કરે પણ ખરા અને શાસ્ત્રને ન માનવાના કારણે અનુષ્ઠાનનો દ્વષ પણ કરે’ - આવા પ્રકારની પણ વૃત્તિ હોતી નથી. અર્થાત્ અનુષ્ઠાન પ્રત્યે કેવલ દ્વેષ સ્વરૂપ વૃત્તિ તો તેમને નથી જ પરંતુ ઉપર જણાવ્યા મુજબના પ્રકારની પણ વૃત્તિ તેમને હોતી નથી. કારણ કે જે જાત્ય મોર હોય તે ક્યારે પણ અજાત્ય મોરના વર્તન જેવું વર્તન કરતો નથી. આથી સ્પષ્ટ છે કે સદ્યોગના આરંભક સદાને માટે અસદ્યોગના આરંભકોથી જુદા છે. ૧૪-૨ સડ્યોઆ શ્લોકમાં દર્શાવેલા જાત્યમયૂરના દષ્ટાંતનો ઉપનય કરાય છે
यथा शक्तिस्तदण्डादौ विचित्रा तद्वदस्य हि ।
गर्भयोगेऽपि मातॄणां श्रूयतेऽत्युचिता क्रिया ॥१४-३०॥ यथेति-यथा तदण्डादौ जात्यमयूराण्डचशुचरणाद्यवयवेषु । शक्ति विचित्राऽजात्यमयूरावयवशक्तिविलक्षणा । तद्वदस्य हि सद्योगारम्भकस्यादित एवारभ्येतरेभ्यो विलक्षणा शक्तिरित्यर्थः । यत उक्तं“પાત્ર શિવિદષ્ટાન્તઃ શાત્રે પ્રોwો મહાત્મમઃ સ તવારસાવીનાં સચ્છવજ્યાવિપ્રસાધનઃ II” તિ ! अत एव । सद्योगारम्भकस्येति गम्यं । मातॄणां जननीनां । गर्भयोगेऽपि किं पुनरुत्तरकाल इत्यपिशब्दार्थः । श्रूयते निशम्यते । शास्त्रेषु । अत्युचिता लोकानामतिश्लाघनीया । क्रिया प्रशस्तमाहात्म्यलाभलक्षणा । यत एवं पठ्यते-“जणणी सव्वत्थवि णिच्छएसु सुमइत्ति तेण सुमई जिणो” । तथा-“गब्भगए जं जणणी जाय सुधम्मे तेण धम्मजिणो” । तथा-"जाया जणणी जं सुव्वयत्ति मुणिसुव्वओ तम्हा" । इत्यादि । इदं गर्भावस्थायामुक्तम् । उत्तरकालेऽप्यत्युचितैव तेषां क्रिया । यत उक्तम्-“औचित्यारम्भिणोऽक्षुद्राः
૨૬૪
અપુનર્બન્ધક બત્રીશી