Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છતાં પીડા પીડા ના લાગે અને અનુરાગ વધે તો પછી અનંતજ્ઞાનીઓના વચનથી ચરમાવર્તવર્તી આત્માને મોક્ષ મળશે જ એની ખાતરી હોય તો તેને ભય કેવી રીતે હોય? પીડા શાથી હોય? અનુરાગ કેમ ન હોય? II૧૩-૨લા.
ચરમાવર્તવર્તી આત્માને પીડાને બદલે અનુષ્ઠાનનું વાસ્તવિક ફળ પ્રાપ્ત થાય છે, તે જણાવાય છે–
प्रसन्नं क्रियते चेतः, श्रद्धयोत्पन्नया ततः ।
મોતિ દિ વેતક્ષોન સતિતં યથા 9રૂ-રૂ|. “કતકચૂર્ણથી મલરહિત બનેલા સ્વચ્છ જળની જેમ પ્રાપ્ત થયેલી શ્રદ્ધાથી તે તે અનુષ્ઠાનો દ્વારા ચિત્ત પ્રસન્ન કરાય છે.” - આ પ્રમાણે ત્રીશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે ચરમાવર્તકાળમાં મુક્યદ્વેષથી ભવિષ્યમાં મોક્ષપ્રાપ્તિનો નિર્ણય થવાથી તે તે સમયે કરાતી ઉચિત પ્રવૃત્તિમાં પીડાનો અનુભવ થતો ન હોવાથી અને તેમાં અનુરાગ થતો હોવાથી ચિત્ત પ્રસન્ન બને છે. | ગમે તેટલું અશુદ્ધ પાણી હોય તોપણ કતકચૂર્ણથી જેમ તે મલરહિત-નિર્મળ બને છે, તેવી રીતે અનુષ્ઠાનના રાગથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધાના કારણે ચિત્ત પ્રસન્ન થાય છે. અનુષ્ઠાનની અનુષ્ઠાનતાનું પ્રથમ ચિહ્ન જ એ છે. ચિત્તની પ્રસન્નતા-નિર્મળતા અનુષ્ઠાનમાત્રનું સાક્ષાત્ ફળ છે. અનુષ્ઠાન વાસ્તવિક છે કે નહિ : એ ચિત્તપ્રસન્નતા સ્વરૂપ ફળથી સમજી શકાય છે. ચિત્તપ્રસન્નતા એ પૂજનાદિ અનુષ્ઠાનનું ફળ છે. એના બદલે લોકો એમ માને છે કે ચિત્ત પ્રસન્ન હોય તો અનુષ્ઠાન થઈ શકે. ચિત્ત પ્રસન્ન ન હોય તો અનુષ્ઠાન ન થાય અને કરીએ તો તેનું ફળ ન મળે. ઈત્યાદિ કહેવું બરાબર નથી. ચિત્તની પ્રસન્નતા એ કાર્ય છે અને અનુષ્ઠાન તેનું કારણ છે. અનુષ્ઠાન વાસ્તવિક હોય તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત છે. નિશ્ચિત મોક્ષની પ્રાપ્તિથી અનુષ્ઠાન પીડાકારક પ્રતીત થતું નથી. અનુષ્ઠાન વખતે પીડા અનુભવાતી હોવા છતાં અનુષ્ઠાનથી ભવિષ્યમાં પ્રાપ્ત થનારી સિદ્ધિની કલ્પના પીડાને પીડા માનવા દેતી નથી, જેથી ચિત્ત પ્રસન્ન બને છે.
આપણા ચાલુ વ્યવહારમાં પણ સામાન્ય કક્ષાની પણ પરમ ઈષ્ટ વસ્તુ ભવિષ્યમાં પ્રાપ્ત થવાની છે એના નિશ્ચયથી ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. રોગીને ડૉકટર આવ્યા એટલું સાંભળવા માત્રથી ચિત્તની પ્રસન્નતા કેટલી પ્રાપ્ત થતી હોય છે એ આપણા અનુભવની વાત છે. હજુ તો ડૉકટર આવ્યા છે, રોગનું નિદાન કર્યું નથી, દવા આપી નથી, દવા લીધી નથી અને રોગ ગયો નથી; પરંતુ “રોગ જશે' - એવી કલ્પનાથી પણ રોગી પ્રસન્નતાને અનુભવે છે. અહીં તો રોગ જશે જ અને સારું થઇ જ જશે એની ખાતરી નથી. સંભવ છે કે રોગ અસાધ્ય પણ હોય અને તેથી
૨૨૪
મુક્યષપ્રાધાન્ય બત્રીશી