Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છીએ. એવો જ પુરુષાર્થ મોહનીયાદિકર્મના પ્રતીકાર માટે કરવામાં આવે તો કર્મનો પુરુષ ઉપરનો અધિકાર ચોક્કસ જ દૂર થશે. ૧૪-૧૪ll અન્યદર્શનકારો અપુનર્બન્ધકદશામાં જે કારણે યોગને ઇચ્છે છે તે જણાવાય છે–
गोपेन्द्रवचनादस्मादेवलक्षणशालिनः ।
રષ્ય થો: પ્રતિશ્રોતોડનુત્વિતઃ ૧૪-૧૧i. गोपेन्द्रेति-अस्माद्गोपेन्द्रवचनाद् । एवंलक्षणशालिनः शान्तोदात्तत्वादिगुणयुक्तस्यापुनर्बन्धकस्य । परैस्तीर्थान्तरीयै र्योग उच्यते । प्रतिश्रोतोऽनुगच्छति यः स प्रतिश्रोतोऽनुगस्तद्धावस्तत्त्वं ततः । इन्द्रियकषायानुकूला हि वृत्तिरनुश्रोतः । तत्प्रतिकूला तु प्रतिश्रोत इति । इत्थं हि प्रत्यहं शुभपरिणामवृद्धिः, सा च योगफलमित्यस्य योगौचित्यं । तदाह-“वेलावलनवन्नद्यास्तदा पूरोपसंहृतेः । प्रतिश्रोतोऽनुगत्वेन પ્રત્યુદં વૃદ્ધિસંયુતઃ II” યો વિવું ૨૦૨ રૂતિ I9૪-9.
આ ગોપેન્દ્રવચનથી આવાં(પૂર્વોક્ત) લક્ષણ(ગુણ)વાળા આત્માને પ્રતિશ્રોતાનુગામિતાને લઇને બીજા દર્શનકારો યોગ માને છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે યોગશાસ્ત્રકારે જણાવેલા - “મોક્ષની સાથે જોડી આપે તેને યોગ કહેવાય છે.' - આ વચનથી પૂર્વે જણાવેલા શાંતાદાત્તત્વગુણવાળા અપુનબંધક આત્માને બીજા દાર્શનિકો યોગ માને છે, તેનું કારણ એ છે કે તેઓ પ્રતિશ્રોતગામી હોય છે.
ઇન્દ્રિય અને કષાયને અનુકૂળ એવી વૃત્તિ(વર્તન)ને અનુશ્રોત કહેવાય છે તેમ જ ઇન્દ્રિય અને કષાયને પ્રતિકૂળ એવી વૃત્તિને પ્રતિશ્રોત કહેવાય છે. પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ અનુકૂળ વિષયોની ઇચ્છા, તેનો પરિભોગ અને તેમાં રતિ વગેરે અનુશ્રોત છે તેમ જ શબ્દાદિ પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ, તેનો પરિવાર અને તેમાં અરતિ વગેરે પણ અનુશ્રોતગામિતા છે. આવી જ રીતે ક્રોધાદિ કષાયોને આધીન બનીને કરાતી પ્રવૃત્તિ કે નિવૃત્તિ પણ અનુશ્રોત છે. તેનાથી તદ્દન વિપરીત વૃત્તિને પ્રતિશ્રોત કહેવાય છે. એ પ્રતિશ્રોતવૃત્તિને લઈને શાંત અને ઉદાત્ત આત્માઓને અન્ય દર્શનકારો યોગ માને છે. અનાદિકાળથી કર્મપરવશ આત્માને અનુશ્રોતને અનુસરવાની વૃત્તિ હોવાથી યોગની પ્રાપ્તિ થતી ન હતી. અનુશ્રોતગામિતાનો ત્યાગ કરી આત્મા જયારે પ્રતિશ્રોતગામી બને છે ત્યારે તેને યોગની પ્રાપ્તિ થાય છે. યોગની પ્રાપ્તિમાં અનુશ્રોતગામિતા પ્રતિબંધક છે. પરંતુ વિચિત્રતા એ છે કે અનુશ્રોતગામીને એનો ખ્યાલ પણ આવતો નથી. કોઈ એ વિષયમાં ધ્યાન દોરે તો પ્રાયઃ ગમે જ નહિ. આવા સંયોગોમાં એવા આત્માઓને પ્રતિશ્રોતગામી બનાવવાનું કાર્ય કઠિન બને છે.
ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રીના પાવનપરિચય અનુશ્રોતગામિતાની ભયંકરતાનો જયારે મુમુક્ષુને ખ્યાલ આવે છે ત્યારે આ શાંત અને ઉદાત્ત આત્માને પ્રતિશ્રોતગામિતાની પ્રાપ્તિ થાય છે એક પરિશીલન
૨૪૫