Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 235
________________ કર્યું છે ? સમૃદ્બન્ધકાદિ આત્માઓ અપુનર્બન્ધકાદિ આત્માઓથી ભિન્ન જ હોવાથી તેમનો ઉપન્યાસ અહીં ક૨વો ના જોઇએ ને ? આ પ્રશ્નના ઉત્તરમાં આ ચોથો શ્લોક છે. “પરિણામી; કાર્યથી સર્વથા ભિન્ન નથી. અર્થાત્ પરિણામી એવા કારણમાં કાર્યથી સર્વથા ભિન્નતા નથી. સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપના નિર્ણયોપયોગી ઊહાપોહનો અભાવ હોવા છતાં સ્વભાવથી જ યોગની પૂર્વસેવા ઔપચારિક છે : આ પ્રમાણે બીજા કહે છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે, સમૃદ્બન્ધકાદિ આત્માઓ કાલાંતરે અપુનર્બન્ધક આત્મારૂપે પરિણમે છે. તેવા પ્રકારની કર્મબંધયોગ્યતાનો હ્રાસ થવાથી એ આત્માઓ કાલાંતરે અપુનર્બન્ધક અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઘડાનું, માટી જેમ પરિણામી કારણ છે તેમ અપુનર્બન્ધક આત્માનું સમૃદ્બન્ધકાદિ આત્મા પરિણામી કારણ છે. (કાર્યસ્વરૂપે પરિણામ પામતા કારણને પરિણામી કારણ કહેવાય છે.) પરિણામી કારણ માટીનું સ્વરૂપ ઘડામાં પણ હોવાથી ઘટાદિ કાર્યથી માટી સર્વથા ભિન્ન છે - એ જેમ મનાતું નથી તેમ અપુનર્બન્ધક આત્માઓથી સમૃદ્બન્ધકાદિ આત્માઓ સર્વથા ભિન્ન મનાતા નથી. અર્થાત્ કારણમાં કાર્યનો ઉપચાર (દૂષિત પાણીને પગનો રોગ કહેવાય છે તેમ) ક૨વાથી અપુનર્બન્ધક આત્માથી સમૃદ્બન્ધકાદિ સર્વથા ભિન્ન નથી. યોગબિંદુના ૧૮૦મા શ્લોકથી આ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે અતાત્ત્વિક એવી યોગની પૂર્વસેવાનો ઉપન્યાસ સમૃદ્બન્ધકાદિ આત્માની અપેક્ષાએ તેમના કાર્યસ્વરૂપ અપુનર્બન્ધક આત્માઓને આશ્રયીને કર્યો છે. કારણ કે અપુનર્બન્ધક આત્માઓ જ નહિ પરંતુ તેમની સમીપમાં રહેલા સમૃદ્બન્ધકાદિ આત્માઓ પણ બહુલતયા અપુનર્બન્ધકના આચારથી વિલક્ષણ નથી હોતા : એ જણાવનારો એ(અતાત્ત્વિક યોગની પૂર્વસેવાનો) ઉપન્યાસ છે. શ્લોકના ઉત્તરાર્ધ(તત્સત્યા...)નો આશય એ છે કે બધા લોકો નહિ પણ કેટલાક લોકો એમ કહે છે કે સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં ભવસ્વરૂપનો નિર્ણય કરાવનાર ઊહાપોહ (ભવસ્વરૂપનું આલોચન)ના અભાવમાં પણ સ્વભાવથી યોગપૂર્વસેવા અતાત્ત્વિક-ઔપચારિક હોય છે. આથી સમજી શકાશે કે સમૃબંધક વગેરે આત્માને અતાત્ત્વિક જ યોગની પૂર્વસેવા વર્ણવી છે. પરંતુ એક પક્ષમાં ઉપર જણાવ્યા મુજબ (શ્લોકના પૂર્વાર્ધમાં જણાવ્યા મુજબ) કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગપૂર્વસેવાને ઔપચારિક માની છે અને બીજા પક્ષમાં (શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવેલા પક્ષમાં) અનાલોચન (ભવસ્વરૂપનિર્ણાયક ઊહાપોહનો અભાવ) દ્વારા અમુખ્યત્વસ્વરૂપ ઉપચારને લઇને યોગની પૂર્વસેવાને ઔપચારિક વર્ણવી છે. બંન્ને પક્ષમાં એટલો ફરક છે – એ યાદ રાખવો. ૧૪-૪ - સમૃદ્બન્ધકાદિ આત્માઓની ઔપચારિક યોગની પૂર્વસેવાનું સમર્થન કરાય છે. અર્થાત્ સમૃદ્બન્ધકાદિ આત્માઓની યોગની પૂર્વસેવા ઔપચારિક જ હોય છે; તેનું સમર્થન કરાય છે— અપુનર્બન્ધક બત્રીશી ૨૩૨

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310