Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
માનવાનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે માર્ગપતિત અને માભિમુખ આત્માની અવસ્થા; અપુનર્બન્ધકની અવસ્થાવિશેષ સ્વરૂપ છે. તેથી અપુનર્બન્ધકસામાન્યના ગ્રહણથી તે બંન્નેનું પણ ગ્રહણ થાય છે. ચિત્તનું અવક્ર(સીધું) જે ગમન છે; તેને માર્ગ કહેવાય છે. સર્પ બહાર ગમે તેટલો વાંકો ચાલતો હોય તોપણ પોતાના બિલમાં સીધો જ ચાલે છે. તેની જેમ કુદરતી રીતે જ વિશિષ્ટ(ચતુર્થાદ) ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવવામાં તત્પર એવો સ્વરસવાહી ક્ષયોપશમવિશેષ સ્વરૂપ એ માર્ગ છે. આત્માના જ્ઞાનાદિગુણો પ્રત્યે જે ક્ષયોપશમને લઇને અભિરુચિ જન્મે છે, તે સ્વરસવાહી ક્ષયોપશમ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોનો મિથ્યાત્વાદિની મંદતાએ જે અલ્પરસવાળો ઉદય અનુભવાય છે, તે ક્ષયોપશમવિશેષ સ્વરૂપ અહીં માર્ગ છે. તેને પ્રાપ્ત કરેલા આત્માઓને માર્ગપતિત કહેવાય છે અને તે માર્ગે પ્રવેશવા માટે યોગ્યતાને ધરનારા આત્માઓને માર્ગાભિમુખ કહેવાય છે. આ બંન્ને આત્માઓ અપુનર્બન્ધકાવસ્થાથી પૂર્વતર અવસ્થાને ધરનારા નથી. કારણ કે એ બંન્નેને; પંચસૂત્રના પાંચમા સૂત્રના અંતમાં “પુસા આખા રૂ. માવલો સમંતમદ્દા તિષ્ઠોહિરિશુદ્ધી! પુળવંધ નાક્'નમ્મા' આ પદોના વિવરણમાં વૃત્તિકા૨૫૨મર્ષિએ શ્રી તીર્થંકર૫રમાત્માની આજ્ઞાને સમજી શકવા માટે યોગ્યસ્વરૂપે વર્ણવ્યા છે. તેઓની અવસ્થા, જો અપુનર્બન્ધકદશાની અવસ્થા કરતાં નીચી (પૂર્વ) હોય તો પંચસૂત્રકવૃત્તિમાં વર્ણવેલી વાત સંગત નહીં બને - એ સમજી શકાય છે. તેથી માર્ગાભિમુખ અને માર્ગપતિત આત્માની અવસ્થાને અપુનર્બન્ધક આત્માની દશાવિશેષસ્વરૂપ માનવી જોઇએ. ૧૪-૨।।
બીજા શ્લોકમાં જણાવેલી વાતમાં મતાંતર જણાવાય છે—
योग्यत्वेऽपि व्यवहितौ परे त्वेतौ पृथग् जगुः । अन्यत्राप्युपचारस्तु सामीप्ये बहूवभेदतः ।।१४ - ३ ।।
योग्यत्वेऽपीति - परे त्वेतौ मार्गपतितमार्गाभिमुखौ । योग्यत्वेऽपि व्यवहितौ अपुनर्बन्धकापेक्षया दूरस्थाविति पृथगपुनर्बन्धकाद्विनो जगुः । अन्यत्रापि सकृद्बन्धकादावपि उपचारतस्तु पूर्वसेवायाः सामीप्येपुनर्बन्धकसन्निधानलक्षणे सति । बह्वभेदतोऽतिभेदाभावात् ।।१४-३।।
“ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમજવા માટે યોગ્ય હોવા છતાં અપુનર્બન્ધક આત્માઓથી આ - માર્ગપતિત અને માભિમુખ આત્માઓ - દૂર હોવાથી ભિન્ન છે - આ પ્રમાણે બીજા કહે છે. તેમ જ અન્ય સમૃદ્બન્ધકાદિ આત્માઓમાં પણ ઔપચારિક પૂર્વસેવા હોવાથી અપુનર્બન્ધકાદિ દશાને પામેલા આત્માઓની દશાવિશેષથી બહુ ફરક નથી. તેઓ તેમની નજીક જ છે” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે.
૨૩૦
અપુનર્બન્ધક બત્રીશી