Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
न चाद्वेषे विशेषस्तु, कोऽपीति प्राग् निदर्शितम् । ईषद्रागाद् विशेषश्चेदद्वेषोपक्षयस्ततः ।। १३-१८।।
न चेति-अद्वेषे विशेषस्तु न च कोऽप्यस्ति अभावत्वादिति प्राक् पूर्वद्वात्रिंशिकायां निदर्शितम् । ईषद्रागाच्चेद्विशेषस्तर्हि तत एवाद्वेषस्योपक्षयः । विशेषणेनैव कार्यसिद्धौ विशेष्यवैयर्थ्याद् । इत्थं च मुक्त्यद्वेषेण मनाग् मुक्त्यनुरागेण वा तद्धेतुत्वमिति वचनव्याघात इति भावः ॥ १३-१८।।
-
“અદ્વેષ(દ્વેષાભાવ)માં કોઇ જ વિશેષ નથી” – આ વાત આ પૂર્વે (૧૨-૩૨) જણાવી છે. મુક્તિ પ્રત્યે જે સહેજ રાગ છે તે રાગથી વિશિષ્ટ અદ્વેષ(મુક્ત્યદ્વેષ)માં રાગના કારણે વિશેષ મનાય તો તે રાગથી જ તદ્ભુતુ-અનુષ્ઠાન થાય છે - એમ જ માની લેવું જોઇએ. મુક્ત્યદ્વેષને તેનું પ્રયોજક માનવાની જરૂર નથી.” - આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે.
એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. મુક્તિ પ્રત્યેનો અદ્વેષ, દ્વેષના અભાવ સ્વરૂપ હોવાથી તે એક જ છે. તેમાં કોઇ ભેદ (વિશેષ) નથી - આ વાત આ પૂર્વે બારમી બત્રીશીના છેલ્લા શ્લોકમાં જણાવી છે. મુક્તિ પ્રત્યેના સહેજ રાગના કારણે એ મુખ્ત્યદ્વેષમાં ફરક છે. અર્થાત્ અભવ્યોનો મુખ્યદ્વેષ મુક્તિરાગવિશિષ્ટ નથી અને ચ૨માવર્ત્તવર્ણી ભવ્યોનો મુખ્યદ્વેષ મુક્તિના ઇષદ્રાગથી વિશિષ્ટ છે. તેથી મુખ્ત્યદ્વેષમાં વિશેષ હોવાથી અભવ્યોના અનુષ્ઠાનને લઇને તદ્ભુતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યાપ્તિ નહીં આવે. તેમ જ ચરમાવર્ત્તવર્તી આત્માના અનુષ્ઠાનમાં લક્ષણસમન્વય થવાથી અવ્યાપ્તિ નહીં આવે.
પરંતુ આ રીતે મુક્તિ પ્રત્યેના ઇષદ્રાગથી વિશિષ્ટ મુખ્ત્યદ્વેષને તતુ-અનુષ્ઠાનનો પ્રયોજક માનવામાં આવે તો મુક્ત્યદ્વેષને તદ્ભુતુ-અનુષ્ઠાનનું કારણ માનવાની જરૂર જ નહિ રહે. કારણ કે વિશેષણભૂત તાદેશ ઇષદ્રાગથી જ તદ્ભુતુ-અનુષ્ઠાન સિદ્ધ થાય છે. વિશેષ્યભૂત મુક્ત્યદ્વેષનું કોઇ જ પ્રયોજન ન હોવાથી તે વ્યર્થ બનશે. આથી સમજી શકાશે કે ગ્લો.નં. ૧૩ની ટીકામાં ‘મુખ્ત્યદ્વેષેળ મનાય્ મુવત્સ્યનુરામેળ વા' આ પ્રમાણે જે વચન છે, તેનો વ્યાઘાત થશે. કારણ કે મુક્તિ પ્રત્યેના અનુરાગથી જ તદ્ભુતુ-અનુષ્ઠાન થાય છે – એમ માનવું ઉચિત છે. મુખ્ત્યદ્વેષને તેનો પ્રયોજક માનવાનું ઉપર જણાવ્યા મુજબ બરાબર નથી... ઇત્યાદિ સમજી લેવું જોઇએ. આ શ્લોકની વાત પણ શંકાકારના આશય મુજબની છે. I૧૩-૧૮૫
ઉપર જણાવ્યા મુજબના અતિવ્યાપ્ત્યાદિ દોષના નિવારણ માટે મુક્યદ્વેષમાં વિશેષતા જણાવીને તેનું નિરાકરણ કરાય છે—
૨૧૪
उत्कटानुत्कटत्वाभ्यां, प्रतियोगिकृतोऽस्त्वयम् । નૈવ સત્યામુપેક્ષાયાં, દ્વેષના વિયોગતઃ ।।૧૩-૧૧||
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી