Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
उत्कटेति-अभव्यानां मुक्तौ उत्कटद्वेषाभावेऽप्यनुत्कटद्वेषो भविष्यति । अन्येषां तु द्वेषमात्राभावादेवानुष्ठानं तद्धेतुः स्यादिति पूर्वार्धार्थः । नैवम्, उपेक्षायां सत्यां द्वेषमात्रस्य वियोगतः । अन्यथा स्वेष्टसांसारिकसुखविरोधित्वेनोत्कटोऽपि द्वेषस्तेषां मुक्तौ स्यादित्युत्तरार्धार्थः ।।१३-१९।।
“ષાભાવના પ્રતિયોગી એવા દ્રષના ઉત્કટત્વ અને અનુત્કટત્વના કારણે મુક્યષમાં વિશેષ છે : આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે ઉપેક્ષા હોય ત્યારે દ્વેષમાત્રનો વિયોગ થાય છે.” – આ પ્રમાણે ઓગણીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. તેનો આશય એ છે કે મુક્તિ પ્રત્યેના વૈષના અભાવનો પ્રતિયોગી મુક્તિ પ્રત્યેનો દ્વેષ છે. જેનો અભાવ જણાવાય છે, તેને તે અભાવનો પ્રતિયોગી કહેવાય છે. અભવ્યોના આત્માઓને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ ન હોવા છતાં અનુત્કટ હેષ હોય છે અને ચરમાવર્તવર્તી આત્માઓને અનુત્કટ પણ દ્વેષ હોતો નથી. તેથી અભવ્યોનું દેવપૂજાદિ અનુષ્ઠાન ઉત્કટઢેષાભાવપ્રયુક્ત હોય છે અને શરમાવર્તવર્તી આત્માઓને તે અનુષ્ઠાન સર્વથા દ્વેષાભાવપ્રયુક્ત હોય છે. આથી અભવ્યોનું અનુષ્ઠાન તદ્હેતુ મનાતું નથી અને બીજાઓનું તે અનુષ્ઠાન તદ્હેતુ મનાય છે - આ પ્રમાણે માનવાથી કોઈ દોષ નથી. અભવ્યોના અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિ નહીં આવે અને ચરમાવર્તવર્તી ભવ્યોના અનુષ્ઠાનને લઇને અવ્યાપ્તિ પણ નહીં આવે.
યદ્યપિ આ રીતે દોષનું વારણ કરી શકાય છે, પરંતુ તે યોગ્ય નથી. કારણ કે અભવ્યોને મોક્ષ પ્રત્યે ઉપેક્ષા હોવાથી સર્વથા દ્વેષનો અભાવ હોય છે. તેથી તેમનું પણ દેવપૂજાદિ અનુષ્ઠાન મુજ્યદ્વેષપ્રયુક્ત હોવાથી તેને લઇને અતિવ્યાપ્તિ અવસ્થિત જ છે. આમ છતાં “ઉપેક્ષા હોય ત્યારે પણ અનુત્કટ દ્વેષ હોય છે જ' – એમ કહેવાનું હોય તો; મોક્ષ, પોતાને ઈષ્ટ એવા નવમા રૈવેયકના સુખનો વિરોધી હોવાથી અભવ્યાદિને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ પણ હોય છે – એમ પણ કહી શકાય છે. તેથી ઉપેક્ષા હોવાથી મોક્ષ પ્રત્યે અભવ્યોના આત્માઓને દ્વેષ હોતો નથી એમ જ માનવું જોઈએ, જેથી અભવ્યો સંબંધી મુક્યàષપ્રયુક્ત દેવપૂજાદિ અનુષ્ઠાનને લઈને તદૂહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યાપ્તિ અવસ્થિત જ છે? આ શંકાકારનો અભિપ્રાય છે. ૧૩-૧૯ી.
समाधत्तेઉપર જણાવેલી શંકાનું સમાધાન કરાય છે
सत्यं बीजं हि तद्धेतोरेतदन्यतरार्जितः ।
क्रियारागो न तेनातिप्रसङ्गः कोऽपि दृश्यते ॥१३-२०॥ सत्यमिति-तद्धेतोरनुष्यनस्य हि बीजम् । एतयोर्मुक्त्यद्वेषरागयोरन्यतरेणार्जितो जनितः क्रियारागः सदनुष्ठनरागः । तेनातिप्रसङ्गः कोऽपि न दृश्यते । अभव्यानामपि स्वर्गप्राप्तिहेतुमुक्त्यद्वेषसत्त्वेऽपि तस्य सदनुष्ठनरागाप्रयोजकत्वाद्बाध्यफलापेक्षासहकृतस्य सदनुष्ठानरागानुबन्धित्वात् ।।१३-२०॥ એક પરિશીલન
૨૧૫