Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
છેલ્લા ત્રણ શ્લોકથી શંકાકારે જે જણાવ્યું છે તે સાચું છે. તધ્તુ-અનુષ્ઠાનની પ્રત્યે મુખ્યદ્વેષને કે મુક્તિરાગને પ્રયોજક માનીએ તો ઉપર જણાવ્યા મુજબ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ આવે છે - એ સત્ય છે, પરંતુ તદ્ભુતુ-અનુષ્ઠાનનું બીજ મુક્યદ્વેષ અને મુક્તિનો રાગ ઃ એ બેમાંથી કોઇથી પણ ઉત્પન્ન થયેલો જે સદનુષ્ઠાનનો રાગ છે; તે છે. તેથી અતિવ્યાપ્તિનો પ્રસંગ નહીં આવે - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે.
-
એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે મુક્ત્યદ્વેષ અથવા તો મુક્તિનો રાગ એતદન્યતરથી ઉત્પન્ન થયેલો ક્રિયા(સદનુષ્ઠાન)નો જે રાગ છે, તે તદ્ભુતુ-અનુષ્ઠાનનું બીજ કારણ છે. તેથી અભવ્યના અનુષ્ઠાનમાં અતિવ્યાપ્તિનો પ્રસંગ નહીં આવે. કારણ કે સ્વર્ગ(નવમો ત્રૈવેયક)ની પ્રાપ્તિનું કારણ એવો મુક્તિનો અદ્વેષ હોવા છતાં અભવ્યોને તે સદનુષ્ઠાનનો પ્રયોજક થતો નથી. “અભવ્યાત્માઓને મુક્યદ્વેષ છે અને બીજાઓને પણ તે છે તો બીજાઓની જેમ અભવ્યોને પણ તે સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનવો જોઇએ.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે સદનુષ્ઠાનના રાગની પ્રત્યે મુક્તિનો અદ્વેષ તે પ્રયોજક બને છે કે જે બાધ્ય એવી ફલાપેક્ષાના સહકારથી યુક્ત હોય. જે મુખ્યદ્વેષ તેવા પ્રકારની બાધ્યફલાપેક્ષાથી રહિત હોય છે તેનાથી સદનુષ્ઠાન પ્રત્યે રાગ ઉત્પન્ન થતો નથી. આશય એ છે કે - અભવ્યોના આત્માઓને સ્વર્ગાદિફળની અપેક્ષા હોય છે, તેને લઇને સ્વર્ગાદિના કારણ તરીકે મુખ્યદ્વેષ હોય છે. તેઓની સ્વર્ગાદિ ફળની અપેક્ષા ક્યારે પણ બાધિત બનતી નથી. તેથી બાધ્યફલાપેક્ષાનો સહકાર અભવ્યોના મુખ્યદ્વેષને પ્રાપ્ત થતો ન હોવાથી એ મુક્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનતો નથી. મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ સદનુષ્ઠાનના રાગનું કારણ ત્યારે જ બની શકે છે કે જ્યારે તે વખતની સ્વર્ગાદિસુખની ઇચ્છા બાધિત બની શકે. સદનુષ્ઠાનની પ્રત્યે મુક્ત્યદ્વેષ જેમ પ્રયોજક છે, તેમ સ્વર્ગાદિસુખની ઇચ્છાનો અભાવ પણ અપેક્ષિત છે. તેથી સદનુષ્ઠાનના રાગની પ્રત્યે સ્વર્ગાદિસુખની અપેક્ષાનો બાધ થવો જોઇએ, એ સમજી શકાય છે. અભવ્યોની એ અપેક્ષા બાધ્ય બનતી ન હોવાથી તેમનો મુક્ત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ નહીં બને, જેથી અતિપ્રસંગ પણ આવશે નહિ - એ સ્પષ્ટ છે. I૧૩-૨૦ા
મુક્ત્યદ્વેષ અને મુક્તિનો રાગ આ બંન્નેમાંથી કોઇ પણ એકથી ઉત્પન્ન થનારા સદનુષ્ઠાનની પ્રત્યેના રાગનું જે બીજું કારણ છે તે જણાવાય છે—
अपि बाध्या फलापेक्षा, सदनुष्ठानरागकृत् । સા ૪ પ્રજ્ઞાપનાધીના, મુત્ત્વદેશમપેક્ષતે ૧૩-૨૧
अपीति–बाध्या बाधनीयस्वभावा । फलापेक्षाऽपि सौभाग्यादिफलवाञ्छापि । सदनुष्ठाने रागकृद् रागकारिणी । सा च बाध्यफलापेक्षा च । प्रज्ञापनाधीना उपदेशायत्ता । मुक्त्यद्वेषमपेक्षते कारणत्वेन ।।१३-२१।
મુખ્યદ્વેષપ્રાધાન્ય બત્રીશી
૨૧૬