Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બને... ઇત્યાદિ યાદ રાખવું. આથી સમજી શકાશે કે યોગની પૂર્વસેવામાં પ્રાધાન્ય મુક્ષ્યદ્વેષનું છે. તહેતુ-અનુષ્ઠાનની પ્રાપ્તિ મુજ્યદ્વેષથી થાય છે. ૧૩-૧૬ll
શકત્તે
ઉપર જણાવ્યા મુજબ તદૂત-અનુષ્ઠાનની પ્રત્યે મુજ્યદ્વેષને પ્રયોજક માનવામાં આવે તો તે ઉચિત નથી : એ અભિપ્રાયથી શંકા કરાય છે–
नन्वद्वेषोऽथवा रागो, मोक्षे तद्धतुतोचितः ।
आद्ये तत्स्यादभव्यानामन्त्ये न स्यात् तदद्विषाम् ॥१३-१७॥ नन्विति-मुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानस्य तद्धेतुत्वेऽभव्यानुष्ठानविशेषेऽतिव्याप्तिः, नवमग्रैवेयकप्राप्तेर्मुक्त्यद्वेषप्रयुक्तत्वप्रदर्शनात् । मुक्तिरागप्रयुक्तानुष्ठानस्य तत्त्वे तु मनाग् रागप्राक्कालीनमुक्त्यद्वेषप्रयुक्तानुष्ठानेઆવ્યારિત્યર્થ. I9રૂ-૧૭ના
“તહેતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુક્તિ પ્રત્યેનો અદ્વેષ ઉચિત છે કે રાગ ઉચિત છે? એમાં પ્રથમ પક્ષ માની લેવાય તો અભવ્યોને તદ્હેતુ-અનુષ્ઠાન હોય છે – એમ માનવું પડશે અને છેલ્લો પક્ષ સ્વીકારવામાં આવે તો મુક્તિ પ્રત્યે જેને દ્વેષ નથી તેને તહેતુ-અનુષ્ઠાન પ્રાપ્ત નહીં થાય.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મુક્તિ પ્રત્યેના અષના કારણે થતા અનુષ્ઠાનને તહેતુઅનુષ્ઠાન કહેવામાં આવે તો અભવ્યોના અનુષ્ઠાનને લઈને તર્ધતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે અભવ્યો પણ મુક્તિ પ્રત્યે દ્વેષ કર્યા વિના અખંડ દ્રવ્યશ્રમણપણાની ક્રિયા કરતા હોય છે. પરંતુ અભવ્યોનું અખંડ શ્રામસ્થાનુષ્ઠાન તહેતુ-અનુષ્ઠાન કહેવાતું નથી. પ્રથમ ત્રણમાંથી અન્યતમ અનુષ્ઠાન જ અભવ્યોને હોય છે. ચોથું અનુષ્ઠાન ચરમાવર્તમાં જ હોય છે અને અભવ્યો ચરમાવર્તામાં આવતા જ નથી. આ અતિવ્યાપ્તિના નિવારણ માટે કહેવામાં આવે કે મુક્તિ પ્રત્યેના રાગથી પ્રયુક્ત(કરાયેલ) અનુષ્ઠાન તદ્દતુ-અનુષ્ઠાન છે, તો મુક્તિ પ્રત્યે સહેજ રાગ ઉત્પન્ન થાય એની પૂર્વેના કાળમાં મુક્તિ પ્રત્યેના અદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અવ્યાપ્તિ આવશે. કારણ કે ભવ્યોના આવા તહેતુ-અનુષ્ઠાનમાં મુક્તિરામપ્રયુક્તત્વ ન હોવાથી લક્ષણનો સમન્વય થતો નથી. આથી સ્પષ્ટ છે કે તહેતુઅનુષ્ઠાનની પ્રત્યે મુજ્યદ્વેષને કે મુક્તિરાગને પ્રયોજક માનવાનું શક્ય નથી – આ પ્રમાણે શંકા કરનારનો આશય છે. ૧૩-૧ળા.
ઉપર જણાવેલા અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના દોષના નિવારણ માટે એમ કહેવાનું પણ શક્ય નથી કે મુક્તિ પ્રત્યેનો અષવિશેષ; તેમ જ સહેજ મુક્તિરાગવિશિષ્ટ મુજ્યદ્વેષથી પ્રયુક્ત અનુષ્ઠાન તહેતુ-અનુષ્ઠાન છે – એ જણાવાય છે. અર્થાત્ તેમાં પણ દોષ જણાવાય છે– એક પરિશીલન
૨૧૩