Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
इहामुत्र फलापेक्षा, भवाभिष्वङ्ग उच्यते । क्रियोचितस्य भावस्यानाभोगस्त्वतिलङ्घनम् ।।१३-१०।।
હેતિ—પ્રાળેવ શબ્દાર્થથના ાતાર્થીડયમ્ II9રૂ-૧૦||
“આ લોક અને પરલોક સંબંધી ફળની અપેક્ષાને ભવાભિવંગ કહેવાય છે અને ક્રિયાને ઉચિત એવા ભાવના અતિલંઘનને અનાભોગ કહેવાય છે.” – આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આ મનુષ્યભવસંબંધી કીર્ત્તિ વગેરે તેમ જ પરલોકસંબંધી દેવતા વગેરેની વૃદ્ધિ-વિભૂતિ વગેરેની જે અપેક્ષા છે તેને ભવાભિષ્યંગ કહેવાય છે. અહીં અપેક્ષા સ્પૃહા (ઉત્કટ ઇચ્છા) સ્વરૂપ છે. ધર્મથી આ લોકાદિના ફળને પ્રાપ્ત કરવાની સ્પૃહા સ્વરૂપ ભવાભિષ્યંગથી; પાંચ પ્રકારનાં અનુષ્ઠાનમાંથી પહેલાં બે અનુષ્ઠાન થાય છે.
ત્રીજું અનુષ્ઠાન અનાભોગથી થાય છે. જે જે ક્રિયા કરવાની શરૂઆત કરી હોય, ત્યારે તે તે ક્રિયાને ઉચિત જે ભાવ છે તેના અભાવને અનાભોગ કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માએ તે તે ક્રિયા કરવાની પાછળ અનેક ભાવોને દર્શાવ્યા છે. સામાન્યથી તેની વિચારણા કરીએ તો સમજાશે કે ગૃહસ્થપણામાં જે જે ક્રિયાઓનું વિધાન કરાયું છે, તે બધાની પાછળ એકમાત્ર સર્વવિરતિધર્મ પ્રાપ્ત કરવાનો ભાવ સમાયેલો છે અને પૂ. સાધુભગવંતો માટે તે તે ક્રિયાની પાછળ એકમાત્ર કર્મનિર્જરા દ્વારા વીતરાગતા પ્રાપ્ત કરવાનો ભાવ સમાયેલો છે. એ ભાવના અભાવ સ્વરૂપ અવસ્થાને અનાભોગ કહેવાય છે. ભાવશૂન્યદશા સ્વરૂપ અહીં ભાવનું અતિલંઘન છે. વિહિત કરેલા અનુષ્ઠાનને કરતી વખતે તેને ઉચિત અધ્યવસાયનો જે અભાવ છે, તેને અનાભોગ કહેવાય છે. ભવાભિષ્યંગ કદાચ ન પણ હોય પરંતુ તે વખતે અનાભોગનો પરિહાર કરવાનું થોડું વધારે કપરું છે. ઉપયોગપૂર્વક અનુષ્ઠાન કરવાનું ઘણું જ અઘરું છે. સમ્પૂર્ચ્છિમ જીવોને દ્રવ્યમન હોતું નથી અને અનાભોગથી અનુષ્ઠાન કરનારાને વિવક્ષિત ઉપયોગ હોતો નથી. તેથી અનાભોગથી થતી પ્રવૃત્તિ સમ્પૂર્ચ્છિમ જીવોની પ્રવૃત્તિ જેવી છે. એવી પ્રવૃત્તિથી કોઇ જ ફળ પ્રાપ્ત થતું નથી. ૫૧૩-૧૦।
આ પૂર્વે નવમા શ્લોકમાં વિવિવુ - આ પદથી વિષાદિ અનુષ્ઠાનો જણાવ્યાં હતાં. તે પાંચ અનુષ્ઠાનોનાં નામો જણાવાય છે—
૨૦૮
विषं गरोऽननुष्ठानं, तद्धेतुरमृतं परम् । गुर्वादिपूजानुष्ठानमिति पञ्चविधं जगुः ।।१३-११।।
વિમિતિ–પચાનામનુષ્યનાનામયમુદ્દેશ: 19૩-૧૧||
પાંચ અનુષ્ઠાનોનો ઉદ્દેશ આ શ્લોકથી કર્યો છે. માત્ર નામથી વસ્તુનું જે નિરૂપણ કરાય છે; તેને ન્યાયની પરિભાષામાં ઉદ્દેશ કહેવાય છે. ઉદ્દેશ કરતી વખતે વસ્તુનું નામથી જ નિરૂપણ કરવાનું
મુક્ત્વદ્વેષપ્રાધાન્ય બત્રીશી