Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
क्रियैव हि अखण्डद्रव्यश्रामण्यपरिपालनलक्षणा । तदुक्तं-“अनेनापि प्रकारेण द्वेषाभावोऽत्र तत्त्वतः । हितस्तु યત્તતેડપિ તથાજસ્થાનમાનઃ III” તિ રૂ-રૂા
“આ મહાવ્રતોના દુર્ગહથી કેટલાક જીવોને નવમા સૈવેયકની જે પ્રાપ્તિ થાય છે તે પરિણામે વિરસ છે અને અહિતને કરનારી છે. આ દેવલોકની પ્રાપ્તિમાં પણ મુક્તદ્વેષ કારણ છે. માત્ર દ્રવ્યસાધુપણાની નિરવદ્ય ક્રિયા કારણ નથી.” – આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે – કેટલીક વાર ચક્રવર્તી વગેરે દ્વારા શુદ્ધચારિત્રવંત, સાધુમહાત્માને પૂજાતા જોઇને; “તેવી પૂજા મને પણ પ્રાપ્ત થાય' - આવી સ્પૃહા થવાથી તેમ જ તેવા પ્રકારના બીજા કોઈ પણ પ્રયોજનના કારણે સમ્યગ્દર્શન જેમનું નષ્ટ થયું છે એવા કેટલાક આત્માઓને નવમા રૈવેયકની પ્રાપ્તિ પણ થાય છે. પરંતુ તે ઘણા બધા દુઃખના અનુબંધનું બીજ હોવાથી પરિણામમાં વિરસ હોય છે અને અનિષ્ટ બને છે. વાસ્તવિક રીતે; ચોરીથી ઉપાર્જન કરેલી ઘણી બધી વિભૂતિની જેમ નવમા રૈવેયકની પ્રાપ્તિ હિતકારિણી નથી.
કેટલાક જીવોને આ રીતે નવમા રૈવેયકની જે પ્રાપ્તિ થાય છે; તેમાં પણ મુક્ષ્યદ્વેષ કારણ છે, માત્ર અખંડ (નિરતિચાર) દ્રવ્યશ્રામણ્યના પરિપાલન સ્વરૂપ ક્રિયા જ કારણ નથી. આ વાતને ફરમાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે “આ રીતે પૂજા વગેરેની સ્પૃહાથી પણ દ્રવ્યસાધુપણાના પરિપાલનમાં વાસ્તવિક રીતે મુક્તિ પ્રત્યે દ્વેષનો અભાવ હિતનું કારણ બને છે, દ્રક્રિયા માત્ર નહીં. કારણ કે એ મુત્સદ્વેષને લઈને દ્રવ્યશ્રમણપણાને ધારણ કરનારા પણ નવમા રૈવેયકાદિની પ્રાપ્તિ સ્વરૂપ કલ્યાણના ભાજન બને છે.” આથી સમજી શકાશે કે મુક્તિ પ્રત્યેના અષના કારણે એવા આત્માઓને નવમા રૈવેયકની પ્રાપ્તિ થાય છે. તે ઉપર જણાવ્યા મુજબ વિપાકમાં (ફલતઃ) વિરસ હોવાથી અનિષ્ટ જ છે. તેથી દુગૃહીત મહાવ્રતોની અસુંદરતામાં કોઈ જ વિરોધ નથી. જેનું પરિણામ હિતકર નથી એવી ક્રિયા સુંદર નથી : એ સ્પષ્ટ છે. સંસારમાં ગમે તેટલું ઊંચામાં ઊંચું ફળ મળે પરંતુ તેનું પરિણામ સારું આવવાનું ન હોય અને તેથી ભયંકર દુઃખ જ ભવિષ્યમાં મળવાનું હોય તો તે ફળને આપવાવાળી ક્રિયા સારી મનાય નહીં. તેને અસુંદર જ માનવી પડે.. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ૧૩-all
ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યથી શ્રમણપણાનું પરિપાલન કરનારાને દેવલોકાદિની સ્પૃહા હોય તો તે વખતે તેમને મોક્ષ પ્રત્યે દ્વેષ હોવો જોઈએ; તેના બદલે તેમને મુક્તિ પ્રત્યે અદ્વેષ કઈ રીતે સંભવે ? - આ શંકાનું સમાધાન કરાય છે
लाभाद्यर्थितयोपाये, फले चाऽप्रतिपत्तितः । व्यापन्नदर्शनानां हि, न द्वेषो द्रव्यलिङ्गिनाम् ।।१३-४॥
એક પરિશીલન
૨૦૧