Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અશુચિતા અને આ લોક-પરલોકની દુઃખરૂપતાદિનું વર્ણન સંવેગનું કારણ ન બને એવું કવચિદ જ બને. લઘુકર્મી આત્માઓને એ વર્ણનના શ્રવણથી સંવેગની પ્રાપ્તિ સરળ રીતે થાય છે. અહીં જે રીતે સંવેજની કથાના રસનું વર્ણન કર્યું છે, એનાથી જુદી રીતે પણ તેનું વર્ણન અન્યત્ર ઉપલબ્ધ છે. ગ્રંથકારશ્રીના આશય મુજબ તે સમજી લેવું જોઇએ. ૯-૧૪ હવે ચોથી નિર્વેજનીધર્મકથાનું સ્વરૂપ વર્ણવાય છે
चतुर्भङ्गी समाश्रित्य, प्रेत्येहफलसंश्रयाम् ।
पापकर्मविपाकं या, बूते निर्वेजनी तु सा ॥९-१५॥ चतुर्भङ्गीमिति-या कथा पापकर्मविपाकं । प्रेत्येहफलसंश्रयामिहलोकपरलोकभोगाश्रितां । चतुभङ्गीं समाश्रित्य बूते । सा तु निर्वेजनी चतुर्भिरेव भङ्गः प्रतिपाद्यमानैश्चतुर्विधेति भावः । अत्रायं सम्प्रदायः-“इदाणिं निव्वेदणी-सा चउव्विहा पन्नत्ता, तं जहा-इहलोए दुच्चिन्नाई कम्माइं इहलोए दुहविवागसंजुत्ताइ भवंति । तं जहा-चोराणं पारदारियाणं एवमादी एसा पढमा निव्वेदणी । इदाणिं बितिया निव्वेदणी-इहलोए दुच्चिण्णा कम्मा परलोए दुहविवागसंजुत्ता भवंति, तं जहा-नेरइयाणं अनमि भवे कयं कम्मं निरयभावफलं देइ, एसा बितिया निव्वेयणी । इयाणिं ततिआ निव्वेदणी-परलोए दुच्चिन्ना कम्मा इहलोए दुहविवागसंजुत्ता भवंति, कहं ? जहा-बालप्पभितिमेव अंतकुलेसु उत्पन्ना खयकोढाइएहिं रोगेहि दारिदेण य अभिभूया दीसंति, एसा ततिया निव्वेदणी । इदाणिं चउत्था निव्वेदणी-परलोए दुच्चिन्ना कम्मा परलोए दुहविवागसंजुत्ता भवंति, कहं ? जहा-पुट्विं दुच्चिन्नेहिं कम्मेहिं जीवा संडासतुंडेहिं पक्खीहि उववज्जंति तउ ते नरयप्पा उग्गाणि कम्माणि अ संपुन्नाणि ताए जातीए पूरिति, पूरिऊण नरयभवे वेदिति, एसा चउत्था निव्वेयणीगया । एवं इहलोगो परलोगो य पण्णवयं पडुच्च भवति । तत्थ पनवयस्स मणुस्सभवो इहलोगो, सेसा उ तिण्णि वि गईउ परलोगो” ||९-१५।।
આ લોક અને પરલોક સંબંધી ફળને આશ્રયીને થનારા ચાર ભાંગાની અપેક્ષાએ પાપકર્મના વિપાકનું વર્ણન જે કથા કરે છે તે કથાને “નિર્વેજનીકથા' કહેવાય છે. અર્થાતુ પ્રતિપાદન કરાતા ચાર ભાગાના કારણે નિર્વેજની કથા ચાર પ્રકારની છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય વર્ણવતાં પૂર્વમહાપુરુષોએ ફરમાવ્યું છે કે - નિર્વેજની કથા ચાર પ્રકારની છે. તે ચાર પ્રકાર નીચે જણાવ્યા મુજબ છે. નિર્વેજનીકથાને નિર્વેદની કથા પણ કહેવાય છે.
આ લોકમાં દુષ્ટપણે આચરેલાં કર્મો આ લોકમાં દુષ્ટ વિપાકથી યુક્ત (દુષ્ટ ફળને આપનાર) થાય છે. દા.ત. ચોરી અને પરસ્ત્રીનું સેવન વગેરે કરનારા ચોર અને વ્યભિચારી વગેરેને આ લોકમાં આચરેલાં તે તે દુષ્કર્મો આ લોકમાં દુઃખને આપનારાં બને છે. આ પહેલી નિજની કથા છે.
૫૮
કથા બત્રીશી