Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરીક્ષા કરનાર પરમાનંદ-મોક્ષમાં પ્રતિબદ્ધ બુદ્ધિશાળી હોવો જોઇએ. મોક્ષમાં જ જેનું ચિત્ત લાગેલું છે, તે સંસારી આત્માને પરમાનંદબદ્ધધી' કહેવાય છે. મોક્ષનું લક્ષ્ય ન હોય એવા આત્માઓ યોગના લક્ષણની પરીક્ષા કરે અથવા ન કરે તોય તેથી કોઈ લાભ થતો નથી. મોક્ષના એક અર્થી આત્માને જ યોગનું લક્ષણ ઉપયોગી છે. સ્વપરદર્શનોમાં જણાવેલાં તે તે યોગનાં લક્ષણોની વિચારણા કરીને યોગના યથાર્થ સ્વરૂપનો નિર્ણય કરવાપૂર્વક આપણે સૌ યોગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. ll૧૦-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां योगलक्षणद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૧૦૯