Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
भवाभिनन्दिनां सा च भवशर्मोत्कटेच्छया ।
श्रूयन्ते चैतदालापा लोके शास्त्रेऽप्यसुन्दराः ॥१२-२३॥ भवेति-सा च मोक्षेऽनिष्टप्रतिपत्तिश्च । भवाभिनन्दिनामुक्तलक्षणानां । भवशर्मणो विषयसुखस्योत्कटेच्छया भवति, द्वयोरेकदोषजन्यत्वात् ।।१२-२३।।
મોક્ષના વિષયમાં અનિષ્ટની પ્રતિપત્તિ; ભવશર્મ-વિષયસુખની ઉત્કટ ઇચ્છાને લઈને ભવાભિનંદી જીવોને થાય છે. મોક્ષના વિષયમાં તે તે જીવોને થયેલી અનિષ્ટપ્રતિપત્તિને જણાવનારાં એ અહિતકર વચનો લોકમાં અને શાસ્ત્રમાં પણ સંભળાય છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મોક્ષ પ્રત્યે અનિષ્ટ - પ્રતિપત્તિ (અરુચિ) થવાનું કારણ વિષય - સુખની ઉત્કટ ઇચ્છા છે. મોક્ષમાં સર્વથા ઇચ્છાનો અભાવ છે. તેથી વિષયસુખની ઉત્કટ ઇચ્છાના કારણે તે તે જીવોને મોક્ષ અનિષ્ટ લાગે છે. એ જીવોને શાસ્ત્રમાં ભવાભિનંદી તરીકે વર્ણવ્યા છે. ભવાભિનંદી જીવોને; વિષયસુખની ઉત્કટ ઇચ્છા અને મોક્ષ પ્રત્યે અનિષ્ટની પ્રતિપત્તિ : બંન્ને તેમના ભવાભિનંદિપણાના કારણે છે. - કૃપણ; માંગવાના સ્વભાવવાળો, દીન, બીજાના કલ્યાણમાં દુઃખી, માયાવી અને મૂર્ખ જીવો ભાવાભિનંદી છે. તેઓ સદાને માટે નિષ્ફળ એવી ક્રિયાને કરતા હોય છે. “દૂધ, દહીં, મુખવાસ, પુષ્પ અને સ્ત્રી વગેરેના અસ્તિત્વના કારણે; અસાર એવો પણ આ સંસાર સારભૂત જણાય છે..” ઇત્યાદિ વચનો દ્વારા સંસારમાં આનંદ પામવાના સ્વભાવવાળા જીવોને મોક્ષના વિષયમાં અનિષ્ટની પ્રતિપત્તિ થાય – એ સમજી શકાય છે.
આવું એકાંતે પરમકલ્યાણમય સ્વરૂપ હોય તો મોક્ષમાં “અનિષ્ટત્વનું જ્ઞાન થાય જ કેવી રીતે? – આવી શંકાનો પ્રત્યુત્તર તો ઉપર જણાવ્યો છે. આ શ્લોકના ઉત્તરાર્ધથી (ત્રીજા-ચોથા પાદથી) એ શંકા અસ્થાને છે. તે જણાવવા માટે લોક અને તેમના શાસ્ત્રનાં વચનોનો આધાર છે; તે સામાન્યથી જણાવાયું છે. મોક્ષની અનિષ્ટતાને જણાવનારાં લોકવચનો અને શાસ્ત્રો(કુશાસ્ત્રો)નાં વચનો સંભળાતાં હોવાથી મોક્ષની અનિષ્ટતા સ્પષ્ટપણે થતી જોવા મળે છે. તેથી મોક્ષમાં અનિષ્ટતાની પ્રતિપત્તિનો સંભવ જ નથી – એ કહેવાનું સર્વથા અનુચિત છે. ૧૨-૧૩
મોક્ષના વિષયમાં થતી અનિષ્ટપ્રતિપત્તિને જણાવનાર લોકવાક્યને જણાવાય છે
मदिराक्षी न यत्राऽस्ति तारुण्यमदविह्वला । जडस्तं मोक्षमाचष्टे प्रिया स इति नो मतम् ॥१२-२४॥
મહેરાલીતિ–નોજાનાપોડયમ્ I9ર-૨૪ની
૧૮૬
યોગપૂર્વસેવા બત્રીશી