Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર વાયુને સમાનવાયુ કહેવાય છે. અન્નાદિને શરીરના ઉપરના ભાગમાં લઇ જનાર વાયુને ઉદાનવાયુ કહેવાય છે અને શરીરની નાડીઓનાં મુખોને ફેલાવનાર વાયુને વ્યાન વાયુ કહેવાય છે. મુખનિર્ગમનાદિ તે તે વ્યાપારોને લઇને એક જ પ્રકારનો પણ વાયુ પાંચ પ્રકારનો વર્ણવાય છે. આવી જ રીતે બુદ્ધિમાં પણ તેણીના અહંકારાદિ વ્યાપારને લઇને તે તે અહંકારાદિ સંજ્ઞાઓની ઉપપત્તિ સારી રીતે કરી શકાય છે. જ્યારે બુદ્ધિ, અહંકાર (હું, હું... ઇત્યાદિ સ્વરૂપ અધ્યવસાય) વ્યાપારને ઉત્પન્ન કરતી હોય ત્યારે બુદ્ધિને અહંકાર કહેવી અને તે (બુદ્ધિ) જ જ્યારે પ્રસુપ્ત (કાર્ય કરવાથી વિરામ પામેલી) સ્વભાવવાળી એવી કાર્યાનુકૂલ સ્વરૂપયોગ્યતાવાળી હોય ત્યારે તેને પ્રકૃતિ તરીકે કહેવી. બુદ્ધિથી અતિરિક્ત અહંકાર કે પ્રકૃતિ વગેરે સ્વરૂપ નિરર્થક તત્ત્વાંતરની કલ્પના કરવાની આવશ્યકતા નથી. ।।૧૧-૨૫।। સાંખ્યમતમાં દૂષણાંતર જણાવાય છે—
पुंसश्च व्यञ्जकत्वेऽपि, कूटस्थत्वमयुक्तिमत् । अधिष्ठानत्वमेतच्चेत्तदेत्यादि निरर्थकम् ॥११-२६॥
पुंसश्चेति–पुंसः पुरुषस्य च व्यञ्जकत्वेऽभ्युपगम्यमाने कूटस्थत्वमयुक्तिमदसङ्गतम् । अभिव्यञ्जकत्वं ह्यभिव्यक्तिजनकत्वं । तथा च " अकारणमकार्यं च पुरुष" इति वचनं व्याहन्येतेति भावः । अधिष्ठानत्वमभिव्यक्तिदेशाश्रयत्वमेतद्व्यञ्जकत्वं, पुरुषस्तु सदैकरूप इति चेत्तर्हि तदेत्यादि “ तदा द्रष्टुः स्वरूपावस्थानमिति” [१३] सूत्रं निरर्थकं तदेत्यस्य व्यवच्छेद्याभावात् । काल्पनिकत्वे चैतद्विषयस्य घटादिव्यवहारविषयस्यापि तथात्वापत्तौ शून्यवादिमतप्रवेश इति भावः ।।११-२६।।
પુરુષને વ્યજ્રક માનવામાં પણ ફૂટસ્થત્વ(અપરિણામિતા) અયુક્ત બને છે. તેથી તેને અધિષ્ઠાન સ્વરૂપ જ વ્યઞ્જક માની લેવામાં આવે તો ‘યોગાનુશાસન’ના (૧-૩) સૂત્રમાં તલા... ઇત્યાદિ જે લખ્યું છે, તે નિરર્થક બનશે. આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાયેલા ઘટાદિની અભિવ્યક્તિ પુરુષના પ્રતિબિંબના કારણે થાય છે. તેથી પુરુષ વસ્તુતઃ શાતા નથી પરંતુ અભિવ્યઞ્જક છે. અભિવ્યઞ્જક તેને કહેવાય છે કે જે અભિવ્યક્તિનો જનક છે. આ રીતે પુરુષમાં અભિવ્યક્તિનું જનકત્વ આવવાથી બારામાર્ય = પુરુષ: આ વચનનો વ્યાઘાત થશે. કારણ કે પુરુષને કોઇનું પણ; કારણ કે કાર્ય માનવામાં આવતું નથી અને પુરુષને અભિવ્યક્તિનો જનક માનવાનો પ્રસંગ આવે છે. આથી સમજી શકાશે કે પુરુષમાં વ્યઞ્જકત્વ માનવાથી અકારણ અને અકાર્યમાં રહેવાવાળું ફૂટસ્થત્વ માનવાનું યુક્તિમત્ નથી.
“પુરુષ, સદાને માટે એક જ સ્વરૂપવાળો હોવાથી અભિવ્યક્તિજનકત્વ સ્વરૂપ અભિવ્યઞ્જકત્વ નથી મનાતું પરંતુ અભિવ્યક્તિદેશાશ્રયત્વ સ્વરૂપ અધિષ્ઠાનત્વ જ અભિવ્યઞ્જકત્વ એક પરિશીલન
૧૩૯