Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જેમ ઉપાદાનકારણ તંતુ છે તેમ પુરુષ કોઈનું ઉપાદાનકારણ નથી. ઉપાદાનકારણ જ પરિણામી હોય છે અને પરિણામ અવસ્થાંતરને પ્રાપ્ત કરવા સ્વરૂપ છે. માટી ઘટસ્વરૂપે પરિણમે છે. પોતાની પૂર્વાવસ્થાથી(આકારાદિથી) ભિન્ન એવી ઘટાદિ અવસ્થાને માટી પ્રાપ્ત કરે છે. તેથી ઘટાદિ માટીનો પરિણામ છે અને તે પરિણામવાળી માટી પરિણામિની છે. આથી સમજી શકાશે કે છવ્વીશમા શ્લોકમાં જણાવ્યા મુજબ તથા ઈત્યાદિ નિરર્થક નહીં બને. આ પ્રમાણે પૂર્વોક્ત દોષનું નિવારણ કરવા છતાં સાંખ્યોના મતમાં દોષ તો છે જ. એ ચા મેવો... ઇત્યાદિ શ્લોકાર્ધથી જણાવ્યું છે.
એનો આશય એ છે કે તલા... ઇત્યાદિ સૂત્રાશ નિરર્થક ન પણ બને તો ય ભોગનિમિત્તત્વ અને ભોગનિમિત્તત્વાભાવ આ ધર્મના ભેદ(વિશેષ)થી સંસાર અને મોક્ષમાં ભેદ થશે અર્થાત્ એ બંન્નેમાં કથગ્નિદ્ ભેદ માનવાનું આવશ્યક છે. “મોક્ષમાં પણ સંસારાવસ્થાની જેમ ભોગનિમિત્તત્વ સ્વરૂપ પૂર્વસ્વભાવ તો છે પરંતુ ભોગનાં કારણોનો અભાવ હોવાથી ભોગની પ્રવૃત્તિ નથી. તેથી સંસાર અને મોક્ષમાં ભેદ ક્યો છે ?” આ પ્રમાણે કહીને કશ્ચિદ્ ભેદ માનવાનું યદ્યપિ નિવારી શકાય છે. પરંતુ આ રીતે માનવાથી એક જ પુરુષમાં ભવ અને મોક્ષ : આ ઉભય સ્વભાવમાં વિરોધ આવશે. તેના પરિવાર માટે એમ કહેવામાં આવે કે “પુરુષમાં બે સ્વભાવ નથી પરંતુ ઉભયનો એક જ સ્વભાવ છે.' તો આ રીતે પ્રકારોતરથી સ્યાદ્વાદને જ માની લેવાનો પ્રસંગ આવશે. ખરી રીતે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ. વ્યર્થ ખેદ કરવાથી કોઈ જ લાભ નથી. /૧૧-૨ણા
સાંખ્યોએ શ્લો.નં. ૧૮માં જણાવ્યા મુજબ જે અતિપ્રસંગનું નિવારણ કર્યું હતું - તે શક્ય નથી, તે જણાવાય છે
प्रसङ्गतादवस्थ्यं च, बुद्धर्भदेऽपि तत्त्वतः ।
प्रकृत्यन्ते लये मुक्तेर्न चेदव्याप्यवृत्तिता ॥११-२८॥ प्रसङ्गेति-बुद्धेर्भदेऽपि प्रत्यात्मनियतत्वेऽप्यभ्युपगम्यमाने । तत्त्वतः परमार्थतः । प्रकृत्यन्ते प्रकृतिविश्रान्ते लये दुःखध्वंसे सति । प्रसङ्गतादवस्थ्यमेकस्य मुक्तावन्यस्यापि तदापत्तिरित्यस्यापरिहार एव, प्रकृतेरेव मुक्त्येरभ्युपगम्यमानत्वात्, तस्याश्च मुक्तत्वामुक्तत्वोभयविरोधाद् । एकत्र वृक्षे संयोगतदभावयोरिव प्रकृतौ विभिन्नबुद्ध्यवच्छेदेन न मुक्तत्वामुक्तत्वयोर्विरोध इत्यत आह-वेद्यदि मुक्तेरव्याप्यवृत्तिता नाभ्युपगम्यत इति शेषः । तदभ्युपगमे च मुक्तेऽप्यमुक्तत्वव्यवहारापत्तिरेव दूषणं । किं चैवं मुक्तस्याप्यात्मनो भवस्थशरीरावच्छेदेन भोगापत्तिरिति तत्प्रकृतिनिवृत्तिरवश्यमभ्युपेयेति द्रष्टव्यम् 99-૨૮
દરેક આત્માની પ્રત્યે બુદ્ધિનો ભેદ માન્યા પછી પણ પ્રકૃતિની વિશ્રાન્તાવસ્થામાં દુઃખનો ધ્વંસ થયે છતે; એક આત્માની મુક્તિથી બધાની મુક્તિ થવાનો પ્રસંગ વિદ્યમાન છે જ. કારણ
એક પરિશીલન
૧૪૧