Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મનાય છે. ઘટાદિ વિષયોની જે અભિવ્યક્તિ થાય છે તે પુરુષમાં થાય છે. તે પ્રતિબિંબાત્મક દેશનું આશ્રયત્ન પુરુષમાં હોવાથી તાદેશ અભિવ્યકત્વ સંગત બને છે.” - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે તેથી “તા દ્રષ્ણુઃ પીવાનમ્' 9-રા- આ યોગસૂત્ર નિરર્થક બનશે. ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય ત્યારે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન હોય છે.' આ અર્થને જણાવનારું એ સૂત્ર છે. પરંતુ પુરુષ સદાને માટે એક જ સ્વરૂપમાં રહેતો હોય તો ત્યારે (સવા)' આ પ્રમાણે જણાવવાનો કોઈ જ અર્થ નથી. કોઈ પણ સમયે પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન ન હોય તો; તે પ્રમાણે જણાવવાનું બરાબર ગણાય. સૂત્રમાં તવા પદનું ગ્રહણ કર્યું છે, પણ તેનું બાવર્ચી (વ્યવચ્છેદ્ય) કોઈ નથી. યદ્યપિ પૂર્વે જણાવ્યા મુજબ અતાત્ત્વિકરૂપે જ પુરુષને ચિત્તની વૃત્તિઓનું ગ્રહણ છે. વિવેકખ્યાતિની અનુદિત અવસ્થામાં ચિત્તવૃત્તિઓનું સાદૃશ્ય હોવાથી કાલ્પનિક જ સ્વરૂપાનવસ્થાન છે અને ત્યાર પછી વિવેકાતિ ઉદિત થવાથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થવાથી પુરુષનું સ્વરૂપાવસ્થાન પણ કાલ્પનિક છે. તેથી તેની અપેક્ષાએ તથા.... ઇત્યાદિ સૂત્ર નિરર્થક નથી. પરંતુ આ રીતે સૂત્રના વિષયને કાલ્પનિક માની લેવામાં આવે તો સર્વજનપ્રસિદ્ધ ઘટાદિવ્યવહારના વિષયને પણ કાલ્પનિક માનવાનો પ્રસંગ આવશે, જેથી શૂન્યવાદીઓના (બૌદ્ધોના) મતમાં પ્રવેશ થશે. I/૧૧-૨૬ll સાંખ્યમતમાં જ અનુપપત્યંતર જણાવાય છે–
निमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः ।
स्याद् भेदो धर्मभेदेन, तथापि भवमोक्षयोः ॥११-२७॥ निमित्तत्वेऽपीति-अथास्यात्मनो निमित्तत्वेऽपि । सत्त्वनिष्ठमभिव्यङ्ग्यां चिच्छक्तिं प्रति । अपरिणामतः परिणामाभावात् । कौटस्थ्यमकारणमित्यस्यानुपादानकारणमित्यर्थादुपादानकारणस्यैव परिणामित्वात् परिणामस्य चावस्थान्तरगमनलक्षणत्वादिति भावः । तथापि भवमोक्षयोः संसारापवर्गयोः । धर्मभेदेन भोगनिमित्तानिमित्तत्वधर्मभेदेन स्यात् कथञ्चिद्भेद आवश्यकः । मोक्षेऽपि पूर्वस्वभावसत्त्वे कारणान्तराभावान्न भोग इति को भेद इति चेत् सौम्य ! कथं तर्हि न भवमोक्षोभयस्वभावे विरोधः ? । उभयैकस्वभावत्वान्नायमिति चेद्भङ्ग्यन्तरेणायमेव स्याद्वाद इति किं वृथा खिद्यसे ||११-२७||
પુરુષમાં નિમિત્તકારણત્વ માનવા છતાં તેની અપરિણામિતાના કારણે કૌટથ્ય પુરુષમાં મનાય છે, તોપણ ધર્મના ભેદથી ભવ અને મોક્ષમાં ભેદ થશે.” - આ પ્રમાણે સત્તાવીશમા શ્લોકનો અક્ષરાર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ શૂન્યવાદનો પ્રસંગ ન આવે એ માટે પુરુષને અધિષ્ઠાનસ્વરૂપ માનવાને બદલે નિમિત્તકારણ મનાય છે. તેથી સત્ત્વ(બુદ્ધિ)નિષ્ઠ અભિવ્યંગ્ય એવી ચિતશક્તિની પ્રત્યે પુરુષ નિમિત્તકારણ છે. તે પરિણામી ન હોવાથી તે ફૂટસ્થ કહેવાય છે. પુરુષને જેવારામનાય છે, તે ઉપાદાનકારણને લઈને મનાય છે. ઘટનું જેમ ઉપાદાનકારણ માટીછે, પટનું
૧૪૦
પાતંજલયોગલક્ષણ બત્રીશી