Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ननु चित्तस्य वृत्तीनां, सदा ज्ञाननिबन्धनात् । વિછાયાસમાઢેતોરાત્મનોગપરિમિતા 99-9રૂા.
नन्विति-ननु चित्तस्य वृत्तीनां प्रमाणादिरूपाणां । सदा सर्वकालमेव । ज्ञाननिबन्धनात् परिच्छेदहेतोः। चिच्छायासक्रमाद्धेतोर्लिङ्गादात्मनोऽपरिणामिताऽनुमीयते । इदमुक्तं भवति-पुरुषस्य चिद्रूपस्य सदैवाधिष्ठातृत्वेन सिद्धस्य यदन्तरङ्गं निर्मलं ज्ञेयं सत्त्वं तस्यापि सदैव व्यवस्थितत्वात्तघेनार्थेनोपरक्तं भवति तथाविधस्य दृश्यस्य चिच्छायासङ्क्रान्तिसद्भावात् सदा ज्ञातृत्वं सिद्धं भवति । परिणामित्वे त्वात्मनश्चिच्छायासङ्क्रमस्यासार्वदिकत्वात् सदा ज्ञातृत्वं न स्यादिति । तदिदमुक्तं-“सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्याરિમિતિ ” [૪-૧૮] I99-9રૂા
“સદાને માટે ચિત્તની પ્રમાણ, ભ્રમ, વિકલ્પ... વગેરે વૃત્તિઓ જ્ઞાનની કારણ હોવાથી ચિચ્છાયાસક્રમસ્વરૂપ લિંગ-હેતુથી આત્માની અપરિણામિતા મનાય છે.” - આ પ્રમાણે તેરમા
શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પુરુષ ચિદ્રુપ(ચૈતન્યસ્વરૂપ) કાયમ માટે અધિષ્ઠાતા (રહેનાર, કોઇનું પણ અધિકરણ નહિ થનાર) તરીકે સિદ્ધ છે. તેનું શેય તરીકે સર્વભૂત સદાને માટે નિર્મળ ચિત્ત છે. તે પણ સદાને માટે વ્યવસ્થિત હોવાથી તેને જાણવાનું નિરંતર ચાલતું હોય છે. એ અંતરંગ(મહત્ત્વનું) ચિત્ત; જે પણ ઘટાદિ અર્થથી ઉપરક્ત(પરિણત) બને છે, તે દશ્યની ચિત્ છાયામાં સંક્રાંતિ થવાથી પુરુષમાં સદાને માટે જ્ઞાતૃત્વ સિદ્ધ થાય છે. તેના અનુરોધથી આત્માને અપરિણામી મનાય છે. આત્માને જો પરિણામી માનવામાં આવે તો કોઇ વાર આત્મામાં ચિત્ છાયાના સક્રમનો અભાવ થવાથી સદાને માટે તેમાં જ્ઞાતૃત્વ નહીં રહે. આ વાતને જણાવતાં “સતા જ્ઞાતાશ્ચિત્તવૃત્તયસ્તત્વમોઃ પુરુષશારિખામત્વા ૪-૧૮ આ યોગસૂત્રથી જણાવ્યું છે કે વિષયાકાર ચિત્ત જ તે ચેતન-પુરુષનો વિષય હોય છે. તે ચિત્તના સ્વામી એવા પુરુષને સદા ચિત્તની વૃત્તિઓ જ્ઞાત રહે છે. કારણ કે પુરુષ અપરિણામી છે.. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. /૧૧-૧૩
ननु चित्तमेव सत्त्वोत्कर्षाद्यदि प्रकाशकं तदा तस्य स्वप्रकाशरूपत्वादर्थस्येवात्मनोऽपि प्रकाशकत्वेन व्यवहारोपपत्तौ किं ग्रहीत्रन्तरेणेत्यत आह
આત્માને અપરિણામી જે કારણથી માનવામાં આવે છે એ કારણને જાણીને સાંખ્યોને એમ જણાવાય છે કે ચિત્તનો જ્ઞાતા આત્મા અને ઘટાદિનું ગ્રાહક (પ્રકાશક) ચિત્ત; આ પ્રમાણે બે પ્રકાશક શા માટે માનવા જોઇએ. કારણ કે સત્ત્વગુણના ઉત્કર્ષથી ચિત્ત જ જો ઘટાદિનો પ્રકાશક છે તો તે પોતે પ્રકાશ સ્વરૂપ હોવાથી દીપકની જેમ પોતાનું પણ પ્રકાશક થશે. તેથી જ જ્ઞાનાદિવ્યવહાર સંગત થતા હોવાથી ચિત્તના પ્રકાશક તરીકે ગ્રહીત્રન્તર (ઘટાદિના ગ્રહીત
એક પરિશીલન
૧૨૫