Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સાંખ્યો જે નિરર્થક જણાવે છે તે જણાવાય છે–
पञ्चविंशतितत्त्वज्ञो, यत्र तत्राश्रमे रतः ।
जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥११-२२॥ पञ्चविंशतीति-अत्र हि पञ्चविंशतितत्त्वज्ञानात् पुरुषस्यैव मुक्तिरुक्ता सा च न सम्भवतीति । न च भोगव्यपदेशवन्मुक्तिव्यपदेशोऽप्युपचारादेव पुंसि सम्भवतीति वाच्यम्, एवं हि तत्र चैतन्यस्याप्युपचारेण सुवचत्वापत्तेः । बाधकाभावान्न तत्र तस्योपचार इति चेत्तत्र कृत्यादिसामानाधिकरण्यस्याप्यनुभूयमानस्य किं बाधकं ? येन तेषां भिन्नाश्रयत्वं कल्प्यते । आत्मनः परिणामित्वापत्तिर्बाधिकेति चेन्न, तत्परिणामित्वेऽप्यन्वयानपायाद् । अन्यथा चित्तस्यापि तदनापत्तेः । प्रतिक्षणं चित्तस्य नश्वरत्वोपलब्धेः । अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदो ध(दाद्ध)र्माणां [४-१२] ते व्यक्तसूक्ष्मगुणात्मानः [४-१३] परिणामैकत्वाद्वस्तुतत्त्वमिति [४-१४] सूत्रपर्यालोचनाद्धर्मभेदेऽपि तेषामङ्गाङ्गिभावपरिणामैकत्वान्न चित्तानन्वय इति चेत्तदेतदात्मन्येव पर्यालोच्यमानं शोभते, कूटस्थत्वश्रुतेः शरीरादिभेदपरत्वेनाप्युपपत्तेरिति સમ્યવિમાનીયમ્ I99-૨૨
“જે કોઈ પણ આશ્રમ(ગૃહસ્થાશ્રમાદિ)માં રહેલો જટાધારી, મુંડન કરાવેલ અથવા માથે ચોટલી રાખનાર હોય તો પણ પુરુષ, પ્રકૃતિ... ઇત્યાદિ પચીસ તત્ત્વનો જ્ઞાતા હોય તો તે મુક્ત થાય છે, એમાં કોઈ શંકા નથી.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આ શ્લોકમાં સાંખ્યોએ જે જણાવ્યું છે, તે નિરર્થક છે. કારણ કે આ શ્લોકમાં પુરુષાદિ પચીસ તત્ત્વના જ્ઞાનથી પુરુષની જ મુક્તિ જણાવી છે. પરંતુ તે તેમને ત્યાં સંગત નથી.
પુરુષને પૂર્વે જણાવ્યા મુજબ પ્રતિબિંબસ્વરૂપ જેમ ઔપચારિક ભોગ મનાય છે, તેમ મુક્તિનો વ્યવહાર પણ ઉપચારથી થાય છે. વાસ્તવિક મુક્તિ તો પ્રકૃતિની છે - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે એ રીતે પુરુષમાં મુક્તિ ઉપચારથી માનવામાં આવે તો પુરુષમાં ચૈતન્ય ઔપચારિક છે અને બુદ્ધિમાં તે વાસ્તવિક છે – એ પ્રમાણે પણ સારી રીતે કહી શકાશે. પુરુષમાં ઔપચારિક ચૈતન્ય માનવામાં બાધક છે, તેથી ચૈતન્ય વાસ્તવિક જ પુરુષમાં મનાય છે' - આ કથન ઉચિત નથી. જ્યાં જ્ઞાન, કૃતિ વગેરે ગુણો હોય છે ત્યાં જ ચૈતન્ય પ્રતીત થાય છે. ચેતનોડ રોમિ. ઈત્યાદિ પ્રતીતિના કારણે કૃતિ વગેરે ગુણોના અધિકરણમાં જ ચૈતન્ય બધાને અનુભવાય છે. તો શું કારણ છે કે જેથી કૃતિ વગેરે ગુણો બુદ્ધિમાં અને ચૈતન્ય પુરુષમાં આ રીતે જુદા જુદા અધિકરણમાં મનાય છે?
ચૈતન્યની સાથે આત્મામાં કૃતિ વગેરે ગુણો માની લેવામાં આવે તો આત્મામાં પરિણામિત્વ માનવાનો પ્રસંગ આવશે. આ પ્રસંગ જ ચૈતન્ય અને કૃતિ વગેરે ગુણોને એક અધિકરણમાં માનવામાં બાધક છે.” આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે આત્માને પરિણામી ૧૩૪
પાતંજલયોગલક્ષણ બત્રીશી