Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ચિત્તથી ભિન્ન ગ્રહીતા) – પુરુષની કલ્પના કરવાની આવશ્યકતા નથી. આ પ્રમાણેની શંકાના સમાધાન માટે સાંખ્યો તરફથી જણાવાય છે
स्वाभासं खलु नो चित्तं, दृश्यत्वेन घटादिवत् । तदन्यदृश्यतायां चानवस्थास्मृतिसकरौ ॥११-१४॥
स्वाभासमिति-चित्तं खलु नो नैव स्वाभासं स्वप्रकाश्यं किं तु द्रष्टुवेद्यं । दृश्यत्वेन दृग्विषयत्वेन घटादिवत् । यद्यदृश्यं तत्तद्रष्टुवेद्यमिति व्याप्तेस्तदिदमुक्तं-“न तत्स्वाभासं दृश्यत्वाद् [४-१९] अन्तबहिर्मुखव्यापारद्वयविरोधात, तनिष्पाद्यफलद्वयस्यासंवेदनाच्च बहिर्मुखतयैवार्थनिष्ठत्वेन चित्तस्य संवेदनादर्थनिष्ठमेव तत्फलं न स्वनिष्ठमिति राजमार्तण्डः” । तथापि चित्तान्तरदृश्यं चित्तमस्त्वित्यत आह-यदि बुद्धिर्बुद्ध्यन्तरेण वेद्येत तदा सापि बुद्धिः स्वयं बुद्धा बुद्ध्यन्तरं प्रकाशयितुमसमर्थेति तस्या ग्राहकं बुद्ध्यन्तरं कल्पनीयं, तस्याप्यन्यदित्यनवस्थानात् पुरुषायुषः सहस्रेणापि अर्थप्रतीतिर्न स्यात् । न हि प्रतीतावप्रतीतायामर्थः प्रतीतो भवति । तथा स्मृतिसङ्करोऽपि स्यादेकस्मिन् रूपे रसे वा समुत्पन्नायां बुद्धौ तद्ग्राहिकाणामनन्तानां बुद्धीनामुत्पत्तेस्तज्जनितसंस्कारैर्युगपद्बह्वीषु स्मृतिषूत्पन्नासु कस्मिन्नर्थ स्मृतिरियमुत्पन्नेति ज्ञातुमशक्यत्वात् । तदाह-"एकसमये चोभयानवधारणं [४-२०] । चित्तान्तरादृश्ये बुद्धिबुद्धेरतिપ્રસ: સ્મૃતિસરસ્થતિ” [૪-૨9] I99-૧૪||
દશ્ય હોવાથી ઘટાદિની જેમ ચિત્ત સ્વપ્રકાશ્ય નથી. પરંતુ દ્રષ્ટા-પુરુષથી વઘ(ય) છે. ચિત્તને પુરુષથી વેદ્ય માનવાના બદલે બીજા ચિત્તથી દશ્ય માનવામાં આવે તો અનવસ્થા અને
મૃતિસંકર નામના દોષો આવશે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે ઘટાદિ પદાર્થો જેમ દશ્ય હોવાથી સ્વભિન્ન ચિત્તથી વેદ્ય (પ્રકાશ્ય) છે, સ્વપ્રકાશ્ય નથી. તેવી જ રીતે ચિત્ત પણ પુરુષનું દશ્ય હોવાથી સ્વપ્રકાશ્ય નથી. પરંતુ પુરુષ-દ્રષ્ટાથી વેદ્ય છે. “જે જે જ્ઞાનના વિષય(દશ્ય) છે તે તે દ્રષ્ટાથી વેદ્ય છે.' આ વ્યાપ્તિ(નિયમ)થી ચિત્તને સ્વાભાસ (સ્વપ્રકાશ્ય-સ્વયં-પ્રકાશસ્વરૂપ) મનાતું નથી. આ પ્રમાણે “ર તત્થામાનં કૃત્વા' I૪-૧૧, આ સૂત્રથી જણાવ્યું છે. એના આશયને સ્પષ્ટ કરતાં રાજમાર્તણ્ડ વિદ્વાને જણાવ્યું છે કે એક કાલે અંતર્મુખવ્યાપાર અને બહિર્મુખવ્યાપાર એ બંન્નેનો વિરોધ હોવાથી ચિત્ત પોતાને પ્રકાશિત કરે અને ઘટાદિને પણ પ્રકાશિત કરે એ શક્ય નથી. ચિત્તના એ વ્યાપારથી ઉત્પન્ન થનારા સ્વપર વિષયના જ્ઞાન સ્વરૂપ ફળદ્રયનો અનુભવ પણ થતો નથી. તેથી બહિર્મુખવ્યાપાર વડે ઘટાદિ અર્થમાં ચિત્ત રહેલું હોવાથી ચિત્તનું ફળ સંવેદનાર્થ ઘટાદિમાં જ મનાય છે. પરંતુ ચિત્તમાં પોતામાં મનાતું નથી... ઇત્યાદિ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ ઘટાદિ અને ચિત્ત બંન્ને દશ્યના પ્રકાશક જુદા જુદા માનવાનું આવશ્યક હોય તોપણ ચિત્તને પુરુષથી વેદ્ય માનવાના બદલે ચિત્તાંતરથી વેદ્ય માનવું જોઇએ -
૧૨૬
પાતંજલયોગલક્ષણ બત્રીશી